SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન નિગ્રંથ જ્ઞાતપુત્ર (મહાવીર) ચાતુર્યામ સંવરવાદી હતા. એમના ચાર સંવર હતા : ૧૫૦ (૧) નિગ્રંથ જલના વ્યવહારનું વારણ કરે છે, જેથી જલના જીવ ન મરે. (૨) નિગ્રંથ સર્વ પાપાનું વારણ કરે છે. (૩) નિગ્રંથ સર્વાં પાપાનું વારણ કરવાથી તપાપ થઈ જાય છે. (૪) નિગ્રંથ સર્વ પાપોનું વારણ કરવામાં સદા પ્રવૃત્ત રહે છે. આ પ્રમાણે નિગ્રંથ ચાર સંવામાં સંવૃત્ત રહે છે. એટલા માટે તે નિગ્રંથ ગતાત્મા (અનિચ્છુક), યતાત્મા (સ'યમી) અને સ્થિતામા કહેવાય છે. ૪. આ પ્રમાણે તથાગત બુદ્ધના સમયમાં છ ધમ નાયકની ઉપયુ ક્ત માન્યતાએ બૌદ્ધસાહિત્યમાં અંકિત થયેલી છે. એ વાત ખરી છે કે આ માન્યતાએ સર્વાશે પ્રામાણિકપણે આપવામાં આવી નથી. બૌદ્ધ સાહિત્યકારાએ માન્યતાઓનુ નિરૂપણ કરવામાં તટસ્થતા રાખી નથી; ઉદાહરણ તરીકે નિગ્રંથ જ્ઞાતપુત્ર અંગે જે લખવામાં આવ્યું છે, તે સાચી વસ્તુની જાણકારીના અભાવમાં લખવામાં આવ્યુ છે અથવા એમાં સાતપુત્રને ન્યૂન અતાવીને બુદ્ધને શ્રેષ્ઠ દેખાડવાની વૃત્તિ છુપાયેલી છે. એ પ્રમાણે અન્ય ધર્મ નાયકાની ખાખતમાં થયેલુ હાય એવી સંભાવના છે, તેાપણ જિન ધર્મ અને ધર્માંનાયકાની જે પરપરાએ લુપ્ત થઈ ગઈ છે, એમના વિચારેાની અસ્પષ્ટ ઝાંખી આ વર્ણનમાં દેખાય છે; એટલે એ સંદર્ભોમાં આ પ્રકરણ અહુ ઉપયાગી છે. મહાવીર અને બુદ્ધના વ્યક્તિગત પ્રભાવ અને ધર્મ પ્રચારના કારણે તે સમયે પેાતાની સામાજિક જવાબદારી છેડી હજારો નવ યુવાન અને યુવતીએ શ્રમણ અને શ્રમણી થવા લાગ્યા. કેટલાક અન્ય ધર્મી સાધુ-સાધ્વીએએ પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યાં. આ કારણે કુટુંબ ૪૦ દીધનિકાય ( હિન્દી અનુવાદ), પૃ. ૨૧ને સાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy