SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મળે છે. પણ ભગવાન મહાવીરનું સ્પષ્ટ ચિંતન હતું કે એક સ્થાન પર બેસવા છતાં પણ જેનું મન રાત-દિવસ ભટકતું રહે તે રખડુ જ છે. જેનું મન સ્થિર છે તે ભલે દેહથી ફરતો રહે પણ - મનથી એક સ્થાન પર સ્થિર રહે છે. જે બંધનથી મુક્તિ છે છે તે ફરીથી પાછો કોઈ ખાસ સ્થાનમાં કેવી રીતે અનુબદ્ધ રહી શકે છે? ભગવાન મહાવીર શરીરધારી હતા. શરીરધારીને કાંઈને કાંઈ હલનચલન તે કરવું જ પડે છે. તેઓ વિહાર પણ કરતા હતા અને દિવસ–રાતના ઘણે ખરો સમય એક સ્થાન પર સ્થિર થઈ ધ્યાન પણ કરતા હતા. આ પ્રમાણે એમની સાધનામાં ગતિ અને સ્થિતિનો મધુર સમન્વય જોવા મળે છે. ભગવાન મહાવીરે પોતાના સાધનાકાળના સાડા બાર વર્ષના લાંબા સમયમાં માત્ર ઘેડીક મિનિટ માટે જ નિદ્રા લીધી હતી, તે સામાન્ય માનવીના મગજમાં નહીં ઊતરે. પણ ચેગી માટે તે અશક્ય નથી. જે યેગી પિતાની ચેતનાને સદા જાગૃત કરી લે છે તેને પછી નિદ્રાની આવશ્યક્તા હોતી નથી. જે કદાચ હોય તે અતિઅલ્પ માત્રામાં. શારીરિક પરિવર્તનને કારણે પણ કઈ કઈ વખતે આવું પરિવર્તન થાય છે. આધુનિક ઈતિહાસની એક જ્વલંત ઘટના આ પ્રમાણે છેઆમાંડા જૈવિકસ લુહિખેરને જન્મ ઈ. સ. ૧૭૯૧માં ફ્રાંસમાં થયેલ હતું. જ્યારે એમની બે વર્ષ જેટલી નાની ઉંમર હતી, ત્યારે એમના માથા પર કઈ વસ્તુ પડી, જેની એમને જબરી ચેટ લાગી, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કેટલાય દિવસ સુધી તે બેભાન રહ્યા. થોડા દિવસ પછી ફરીથી જાગૃતિ આવી પરંતુ તે પછી એમની નિદ્રા સમાપ્ત થઈ ગઈ ટેકુલા જર્સ વગેરે ઊંઘની દવાઓ પણ આપવામાં આવી, પણ ઊંઘ આવી નહીં. સામાન્યતઃ ઊંઘ ન આવે એટલે માથું ભારે થઈ જાય છે. મન ઉગ અનુભવે છે અને તબિયત પર એની અસર પહોંચે છે. પણ આમાંડાની તબિયત પર કઈ અસર પડી નહીં. એમણે અભ્યાસ કર્યો અને તેઓ મેટા વકીલ બન્યા. શું તે શક્ય નથી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy