SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન પણ રોગીની ચિકિત્સા કરવામાં આવતી. આના નિષ્ણાત આચાર્ય દરેક સ્થાન પર મળી આવતા. ઈસ્પિતાલને પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાં પગારદાર અનેક વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાપકપુત્ર, કુશલ અને કુશલપુત્ર વગેરે વ્યાધિગ્રસ્તા, દુઃખીઓ, રોગીઓ અને દુર્બલેને દવાઓ આપતા.૯૪ પશુ-ચિકિત્સાના વિશેષજ્ઞ પણ હતા.૬૫ વૈદ્યને પ્રણચાર્ય પણ કહેતા.૯ રસાયણનું સેવન કરાવીને ચિકિત્સા કરતા હતા.૧૭ ધનુર્વિદ્યા ધનુર્વિદ્યાને છઠ્ઠો વેદ માનવામાં આવે છે. આ વિદ્યા પૂર્ણપણે વિકસેલી હતી અને શૂરવીરતાનું પ્રતીક ગણાતી હતી.૮ એ બેતેર કલાઓમાંની એક કલા હતી. રાજકુમારે માટે ધનુર્વિદ્યાની તાલીમ લેવી ફરજિયાત હતી. અનેક રાજાઓ અને રાજકુમારો આ વિદ્યાના નિષ્ણાત હતા. ભગવાન મહાવીરના મામા રાજા ચેટકે દરરોજનું એક જ બાણ છોડવાનું પણ (પ્રતિજ્ઞા) લીધું હતું. એમનું બાણ અમોઘ ગણાતું. કેટલાક ગૃહસ્થ પણ ધનુવિદ્યામાં પારંગત હતા. શબ્દવેધી બાણને પણ ઉલ્લેખ મળે છે. ૯૯ સંગીત અને નૃત્ય એ યુગમાં સંગીતને અધિક પ્રમાણમાં પ્રચાર હતું. રાજા, ૯૪ જ્ઞાતૃધર્મ કથા ૧૩, પૃ. ૨૪૩. ૯૫ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૪૭૫ ૯૬ એજન, પૃ. ૪૭૫. ૯૭ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ ૫. ૧૧. ૯૮ ધનુમંહને ઉલ્લેખ ભાસે પણ કર્યો છે; જુઓ ર્ડો. એ.ડી. પુલાલકર, ભાસ-એ સ્ટડી પૃ. ૪૪૦ ઇત્યાદિ. ૯૯ જ્ઞાતૃધમકથા ૧૮, પૃ. ૨૦૮. સરખા – સરમા કાતર (૫૨૨) ૫, પૃ. ૨૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy