SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સાંસ્કૃતિ વ્યાખ્યા—સાહિત્યના રચના સમયના સમાજ અને સંસ્કૃતિ અંગેની હાવાની સંભાવના છે, એટલે અત્રે રજૂ કરેલ મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિના ચેાગ્ય મૂલ્યાંકન વખતે ઉપર્યુક્ત મુદ્દો લક્ષમાં રાખવાનું સૂચન કરીએ છીએ. વર્ણાશ્રમ વ્યવસ્થા વર્ણવ્યવસ્થા પ્રાચીન ભારતીય સમાજને મેરુદંડ હતા. તે સમયમાં મુખ્યત્વે એ પ્રકારની જાતિએ હતી. એક આર્ય અને ખીજી અનાર્ય. આર્ચીના પાંચ ભેદ હતા-ક્ષેત્રઆર્ય, જાતિઆર્ય, કુલઆર્ય, કર્મઆર્ય, ભાષાઆર્ય.૧ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણો હતા. જેમાં બ્રાહ્મણનું પ્રાધાન્ય હતું. અધિકાંશ બ્રાહ્મણે જૈનધર્મના વિરાધી હતા.૩ એટલે જૈનધર્મમાં બ્રાહ્મણની અપેક્ષાએ ક્ષત્રિયાને શ્રેષ્ઠતા આપવામાં આવી. તીર્થંકરે ક્ષત્રિયકુલમાં જ ઉત્પન્ન થઈ શકે એટલે મહાવીરને દેવાનન્દા બ્રાહ્મણીના ગર્ભમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા.૪ આગમ સાહિત્યમાં અનેક સ્થળે શ્રમણ અને બ્રાહ્મણ શબ્દને ૧. પ્રજ્ઞાપના ૧, ૬૭-૭૧. ૨ (ક) ઉત્તરાધ્યયન ૨૫,૩૧. (ખ) વિપાકસૂત્ર ૬, પૃ. ૩૩. (ગ) આચારાંગ નિયુ*ક્તિ ૧૯,૨૭. 3 (ક) નિશીથ ચૂર્ણિ પીઠિકા ૪૮૭ની ચૂર્ણિ (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૪૯૬. ૪ (ક) કલ્પસૂત્ર ૨,૨૨. (ખ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૩૯. સરખાવેશ—વાજસનેય સંહિતા ૩૮ ૧૯. ડા. જી, એસ. યે લખેલ-કાષ્ટ એન્ડ રૅસ ઇન ઇન્ડિયા પુ. ૬૩ ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy