________________
10
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
મનમાં ઉલ્લાસ ન આવે પણ ઉપર જણાવ્યું તેમ બીજા મંત્રોના એક એક અધિષ્ઠાયક એટલે એક એક ઓફિસર અને આરાધના કરનારા- અરજી કરનારા કેટલા બધા ! કે'દિ પાર આવે! એક અધિકારી કયાં પહોંચે ?
એ કરતાં શ્રી નવકારના 900 કે ૭૦ હજાર કે અસંખ્ય દેવદેવીઓ અધિષ્ઠાયક તરીકે એટલે દરેક આરાધકની સમર્પણવૃત્તિ – ભકિત – નિષ્ઠાના આધારે કોઈને કોઈ દેવ કે દેવીનું ધ્યાન ખેંચાય જ!
એટલે બીજા મંત્રો કરતાં શ્રી નવકાર જલદી ફળે એમાં કોઈ શંકા નથી.
માટે શ્રી નવકારનો આરાધક સાંસારિક, ભૌતિક – માનસિક - શારીરિક કોઈ પણ ઉપાધિ, દુઃખ આવે તો કર્મના ઉદયથી એ આફત આવી તો શ્રી નવકાર ગણવા તરફ તેનો ઝોક હોય. દવા, ટ્રીટમેન્ટ કે વ્યાવહારિક ઉપચારો તરફ વલણ ન હોય – કયારેક અસહ્ય થાય તો કરે, પણ શ્રદ્ધા શ્રી નવકારના જાપમાં હોય.
બીજું સૌથી મોટું કારણ એ છે કે દુ:ખ માત્ર કર્મના ઉદયથી આવે છે. કર્મના ઉદય વિના કોઈની તાકાત નથી કે આપણને હેરાન કરી શકે. એટલે કર્મના ઉદયને હઠાવ્યા વિના દુઃખ શી રીતે જાય! તેને તે જ ડૉકટર, તેની તે જ દવા, પણ આપણું અસાતા વેદનીય કર્મ ઢીલું ન હોય તો ટેબલ પર પડેલ દવા યાદ ન આવે, અગર આપણા વિષમ કર્મના ઉદયથી નિદાનમાં ભૂલ પડી જાય.
પછી જ્યારે કર્મ હળવું થાય એટલે યાદ આવે કે ઓહો! આ દવા ટેબલ પર પડી તે જ બાકી છે, અરે ! આને તો આ રોગ છે એમ સાચું નિદાન થઈ જાય. એટલે કર્મોનો ઉદય દવા આદિ વ્યાવહારિક ઉપાયોમાં નડે છે. પણ કર્મોના ઉદયને હઠાવવાની શક્તિ પેલી દવા ટ્રીટમેંટ આદિમાં નથી પણ શ્રી નવકાર તો કર્મોના ઉદયને હઠાવે છે, થંભાવે છે
શ્રી નવકારનો એકેક અક્ષર કુહાડાના ઘાની જેમ કર્મોના પરમાણુને થથરાવી મૂકે છે. એટલે કોઈ પણ દુઃખ કે વિષમ સંયોગો આવે તેની પાછળ કર્મનો ઉદય હોય જ. એટલે બીજા કોઈ પણ પ્રયત્નથી કર્મને હઠાવી ન શકાય માટે શ્રી નવકારના જ શરણે જવું, તેમાં આપણું વધુ હિત છે.
તેથી શ્રી નવકાર મા છે, શ્રી નવકાર મિત્ર છે. શ્રી નવકાર સખા છે, શ્રી નવકાર બંધુ છે, કેમ કે તે દુ:ખના મૂળ કારણરૂપ કર્મોના મૂળને હટાવી દે છે અને પરિણામે આપણા જીવનને પરમ સુખ અપાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org