________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
3
છાપી
૧૪-૬-૮૩, જેઠ સુદ ૪ શ્રી નમસ્કાર મહામંત્રના આરાધક તરીકેની પવિત્ર ફરજ છે કે જપના માર્ગે નિયમિત ચાલવું – તેમાં Mood કે આંતરિક ઉલ્લાસની રાહ જોઈ બેસી ન રહેવું.
કેમ કે અનાદિના સંસ્કારોના આત્મા ઉપરના દબાણતળે જીવનશક્તિ ઊર્ધ્વગામી પંથે એકાએક જઈ શકતી નથી તે માટે વ્યવસ્થિત પુરુષાર્થની જરૂર રહે છે.
તે પુરુષાર્થના અનેક પ્રકારોમાં સૌથી શ્રેષ્ઠ પુરુષાર્થ જાપનો છે. જાપથી અંતરની શકિતના વિકાસને આડે રહેલ અવરોધો ઉઠાવી શકાય છે. આપણા આંતરમનમાં રાગદ્વેષના કચરાનો ઊભરાટ ન ગમે કે દૂર ન થાય ત્યાં સુધી જેને આંતરિક ઉલ્લાસ કે મુડ કહેવાય છે તે ન જ આવે. પણ તે ઊભરાટ શમાવવા માટેનો અચૂક ઉપાય નિયમિત સમયે, નિયમિત સંખ્યાએ જાપ શરૂ જ કરી દેવો એ છે.
નિયત સમયે, નિયત સંખ્યામાં જાપ કરવાથી અંતરમાં શક્તિનું કેન્દ્ર જામે છે. પછી જાપની સંખ્યાનું બળ વધવાથી આંતરિક વિસ્ફોટની ક્ષમતા ઊપજે છે. માટે ચોકકસ સમયે, ચોકકસ ધોરણથી જાપના માર્ગે વૃત્તિઓને વાળી દેવી એ જ આત્મશુદ્ધિનો રાજમાર્ગ છે.
મારા પોતાના જાતઅનુભવ પ્રમાણે વિ. સં. ૨૦૫ થી ૨૦૧૦ સુધી પૂ ૫, શ્રી ભદ્રંકર વિ. મ. ઉપરના બહુમાનથી તેમના વચનને માન્ય રાખી પ્રથમ ત્રણ બાંધી માળા, પછી ૧૫ – ૨ વર્ષ પછી પાંચ બાંધી માળા શરૂ કરી - પણ બધા ગણે છે તેવી મણકા ખસે - માળા પૂરી, સમય સંખ્યાના ધોરણ વિનાની, છતાં પૂ૫, શ્રી ભદ્રંકર વિમના બહુમાનના કારણે અંતરની શકિતઓના દ્વાર ખૂલવા માડેલા, પણ ૨૦૧૦ના શ્રાવણથી નાગપુરના મોહનભાઈના નિમિત્તથી માનસિક સ્થિતિ ફરી અને ર૦૧૧ના માગશરથી નિયત સમયે, નિયત સંખ્યાના ધોરણે જાપ શરૂ કર્યો, તો વિરાટશકિતના પ્રવાહોથી ભરપૂર જીવન થવા માંડ્યું.
તે વખતે નવકાર ગણવામાં મન લાગતું ન હતું પણ શ્રદ્ધાનું બળ અપૂર્વ હતું જેથી નિયત સ્થાન, સંખ્યાના ધોરણને જાળવી જાપમાં મંડી રહ્યો તો ૩ મહિનામાં હૈયામાં પ્રકાશ થયો. અપૂર્વ શાંતિ મળી, જાપ પૂર્વે ગમે તેટલા વિષમ વાતાવરણ ઊભા હોય છતાં નિયમિત રીતે જાપમાં બેસતાં જ એક, બે ને ત્રણ. ત્રીજા નવકારે દિવ્ય આનંદની સેરો હૈયામાં અનુભવમાં આવવા લાગી.
પછી તો ધીમે ધીમે શ્રી નવકારના વિશિષ્ટ આરાધનાના પાવરફુલ પ્રતાપ-ચમત્કારોની સીરીઝ
ચાલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org