________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
અજ્ઞાનદશાથી જીવમાત્રના દોષો પ્રતિ દષ્ટિ અનાદિકાલથી થતી હોઈ જીવો પ્રતિ અરુચિ-દ્વેષ ઊપજે છે. પણ દોષદૃષ્ટિના બદલે ગુણગ્રાહીતાનો આગ્રહ કરવામાં આવે તો જીવમાત્ર પ્રતિ અનુરાગ ઊપજે
અને જીવન પરમ આનંદમય બની જાય.
૪૨
થાય.
એટલે શ્રી નવકારનો આરાધક ગુણગ્રાહી હોય, પરિણામે અનાદિકાલીન દોષદષ્ટિનો ઘટાડો
૪) નવકારનો આરાધક આત્મલક્ષી હોય :
સઘળા જીવો પુદ્ગલને કેન્દ્રમાં રાખી તેને મેળવવા, ટકાવવા કે ભોગવવા મથામણ કરતા હોય છે. પણ પુદ્ગલ જડ, ક્ષણભંગુર એટલે તેની પાછળ કરેલ મથામણ છેવટે નકામી થાય. શ્રી નવકારનો આરાધક અંતરથી આત્મ-તત્ત્વ - ચૈતન્યનો આરાધક હોય.
આત્મતત્ત્વ ચિદાનંદરસથી ભરપૂર અને શાશ્વત આનંદનું ધામ, તે આત્મતત્ત્વને આડે આવેલ કર્મોના આવરણને હઠાવવા મથામણ કરે તે શ્રી નવકારનો આરાધક ગણાય.
આ રીતે પાયાના ચાર ગુણોની સાધનામાં આગળ વધવું તે શ્રી નવકારની આરાધનાની સફળતા માટે જરૂરી છે. તમો યથાયોગ્ય રીતે આ ચાર સદ્ગુણોના વિકાસમાં આગળ વધો એ અંતરની મંગળ
કામના.
સિદ્ધપુર
פול
૧૯
Jain Education International
વિ વિશ્વમાં શકિતઓ ઘણી કામ કરી રહી છે. પણ તેમાં બે મુખ્ય જણાય છે.
૧. ચૈતન્ય શક્તિ
લી
૨. પૌદ્ગલિક શકિત
બંને એકબીજાના પાયા પર સહયોગથી કાર્ય કરતી હોય છે છતાં મૌલિક રીતે વિકાસના પંથે ચૈતન્ય શકિતનો ફાળો વધુ છે. વિનાશના પંથે પૌદ્ગલિક શકિતનો ફાળો વધુ છે.
For Private & Personal Use Only
૧૦-૬-૮૩
www.jainelibrary.org