________________
૪૦
ט
૧૮
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
ઊંઝા
૬-૬-૮૩, વૈશાખ વદ ૧૦
શ્રી નવકારનો આરાધક દીન-હીન ન હોય, માનસિક રીતે ખૂબ સ્વસ્થ હોય, કેમ કે – અંતરમાં વિવેકની જાગૃતિ ઓછી હોય તો આત્મસ્થિતિની માહિતીના અભાવે મૂંઝવણ થાય.
લી
પણ શ્રી નવકારના આરાધકને અંતરમાં વિનય-વિવેક નમ્રતાના વધારાથી સ્પષ્ટરીતે કોઠાસૂઝ હોય કે વિચારોના પાયામાં રહેલ રાગ-દ્વેષના તત્ત્વના વધારાના લીધે જ જીવન દુ:ખી થાય છે. પણ હૈયાની સૂઝની ખામીથી વિવેકની ગેરહાજરીએ આવેલા કે આવતા દુ:ખનું મૂળ ન સમજી શકવાથી મનમાં ગૂંચવાડો, દીનતા, હીનતા – નો ભાવ ઊપજ્યા કરે કે શું થશે ? પણ શ્રી નવકારના આરાધકને એક વાત નકકી કે મારા પોતાના અંતરના રાગાદિ વિકારોને કાબુમાં ન રાખવાથી જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે હવે પરમેષ્ઠીઓના ચરણે જાતને સોંપી તેમની આજ્ઞાને ઘ્રુવતારક બનાવી જીવન જીવવાના પ્રયત્નો કરવાથી મારી વિષમ પરિસ્થિતિનો ઉકેલ સહેજમાં થઈ જશે.
એટલે શ્રી નવકારનો આરાધક ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ દીન-હીન ન બને, સદા પ્રસન્ન રહે.
Jain Education International
વળી શ્રી નવકારના આરાધકને એમ પણ હૈયામાં હોય કે ગમે તેવી વિષમ સ્થિતિનું સર્જન અશુભ કર્મોના બળે જ થાય છે. બાકી બધા તો નિમિત્ત માત્ર છે. એટલે તે અશુભ કર્મોને તોડવાનું બળ પંચપરમેષ્ટિઓને નિખાલસતાપૂર્વક કરાતા નમસ્કારમાં અપૂર્વ કોટિનું રહેલ છે. તો શ્રી નવકારમહામંત્રના આરાધકને ગમે તેવા વિષમ સંયોગોમાં પણ આંતરિક પ્રસન્નતા ઓછી થતી નથી.
વળી શ્રી નવકારનો આરાધક વિચારોની ગરિમાથી યુકત હોય છે કે પંચપરમેષ્ઠી જેવા મહાન ઉચ્ચકોટિના આત્મશકિતના ધણી જેવાની નિશ્રાએ હું આવ્યો, પછી મારે શી વાતની ખામી ! જગતના ભૌતિક ઐશ્વર્યની તુચ્છતા ભાસે, કેમ કે જગતનું ભૌતિક ઐશ્વર્ય પુણ્યકર્મના ઉદયને આધીન છે.
જ્યારે પંચપરમેષ્ઠીઓની આજ્ઞા પ્રમાણે ચાલવાના સત્ પ્રયત્નોમાંથી વિકસતું આશ્ચર્ય સાહજિક અને અંતરંગ દૃષ્ટિએ ખૂબ જ અખૂટ હોઇ વધુ સ્પૃહણીય બને છે.
અંતરંગ શાંતિ સમૃદ્ધિ પંચપરમેષ્ઠિઓની આજ્ઞાનુસાર જીવનના ઘડતરમાંથી સહેજે અનુભવાય છે.
દુનિયાનું ભૌતિક ઐશ્વર્ય કર્મના ઉદયને આધીન અને ક્રમે ક્રમે ક્ષીણ થવાવાળું શાશ્વત નહીં,
For Private & Personal Use Only
www.jainelibrary.org