________________
૩૬
סד
૧૬
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
ભારતી સોસાયટી, પાટણ
૨૨-૫-૮૩, રવિવાર
વિ શ્રી નવકાર એ મહામંત્ર છે. એટલું જ નહીં, મંત્રાધિરાજ છે, કેમ કે બીજા મંત્રો તો માત્ર ભૌતિક સામગ્રી આપણા પુણ્યનો ઉદય હોય તો આપે છે.
ી
પણ શ્રી નવકાર તો આત્મિક ઉન્નતિ અને આત્મ શકિતના વિકાસના પંથે આપણી જાતને ધપાવે છે. એટલે ભૌતિક સામગ્રી કરતાં આત્મશકિતઓના વિકાસનું વધુ મહત્ત્વ હોઈ શ્રી નવકાર મહામંત્ર કે મંત્રાધિરાજ ગણાય વધુ તર્ક સંગત છે. વળી ભૌતિક સામગ્રી પણ શ્રી નવકાર બીજા મંત્રો કરતાં વધુ ચોકકસાઈપૂર્વક સચોટ રીતે આપે છે.
કેમ કે બીજા મંત્રો પૂર્વસંચિત પુણ્યનો ઉદય ન હોય તો ફ્ળતા નથી, ત્યારે શ્રી નવકાર તો પૂર્વ સંચિત પુણ્ય ન હોય તો ગુણાનુરાગપૂર્વક કરાતા જાપથી નવું પુણ્ય સર્જાય છે. પુણ્યના અખૂટ ભંડારો ભરપૂર થાય છે.
તે રીતે પણ શ્રી નવકાર મહામંત્ર મંત્રાધિરાજ બને છે.
Jain Education International
વળી પુણ્યોદય હોય પણ પાપકર્મ-અંતરાય આદિની પ્રબળતા હોય તો બીજા મંત્રો ફ્ળ નહીં, જ્યારે શ્રી નવકાર તો પાપકર્મ અંતરાય આદિના ઉદયને હટાવી રસ્તો મોકળો કરી આપે.
આ દૃષ્ટિએ પણ શ્રી નવકાર મહામંત્ર મંત્રાધિરાજ ગણાય છે.
આવા શ્રી નવકારને ગણનારો પુણ્યાત્મા કદી માનસિક રીતે હીન હોઈ શકે નહીં. તેના માનસક્ષેત્રમાં વિશિષ્ટ, ઉદાત્ત, પરમોચ્ચ આત્મશકિત સંપન્ન પંચપરમેષ્ઠી પ્રતિ વિશિષ્ટ, ઉદાત્ત ગુણાનુરાગ કેળવાયેલ હોઈ અપૂર્વ પ્રમોદભાવની છોળો ઊછળતી હોય.
શ્રી નવકાર મહામંત્રની અદ્વિતીય વિશેષતા એ છે કે તેના સતત વિધિપૂર્વકના જાપથી પાંચે ઇન્દ્રિયો પર કાબૂ મેળવાય છે કેમ કે,
(૧) અરિહંતો સતત દેશના દ્વારા આપણી શ્રોત્રેન્દ્રિયના વિષયરૂપ શબ્દો પ્રતિ આકર્ષણને ઘટાડે છે.
અરિહંતોનો શબ્દ ૩૫ વાણીગુણવાળો વિશિષ્ટ પ્રવચન દ્વાદશાંગીરૂપે સર્વહિતકર આગમોની ગૂંથણીમાં ગૂંથાયેલ તે શબ્દોનું શ્રવણ દુનિયાના ક્ષણજીવી સંગીત – શૃંગારના પોષક શબ્દોની વિરૂપતા –
વિરસતા ઊપજાવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org