________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
‘“માન’’ કષાયને હટાવનાર બને છે.
તે રીતે સાધુઓ ક્ષમાપ્રધાન જીવન જીવનારા સર્વ વિષમ સંયોગોમાં સહનશીલતાની માત્રા ટકાવી ‘ક્રોધ’ કષાયને જીવનમાંથી હડસેલી મૂકે છે. આ રીતે -
મિથ્યાત્વને
૩૫
અરિહંતો સિદ્ધો - લોભને
આચાર્યો — માયાને
-
ઉપાધ્યાયો માનને
સાધુઓ — ક્રોધને હટાવવા ખૂબ જ ઉપયોગી બને છે.
આ ઉપરથી પંચ પરમેષ્ઠીઓ વ્યકિતરૂપે મહાન છતાં તેમના વિશિષ્ટ ગુણ પ્રતિ અંતરની આપણી દૃષ્ટિ કેળવાઈ ન હોય તો વિશિષ્ટ ગુણાનુરાગ ઊપજતો નથી. તેથી પંચપરમેષ્ઠીઓના અનેક ગુણો પૈકી એક-એક વિશિષ્ટગુણના સ્મરણપૂર્વક તીવ્ર ગુણાનુરાગ-દષ્ટિથી તે પરમેષ્ઠીઓનો જાપ રાગ-દ્વેષને અગર ભયંકર મિથ્યાત્વ, લોભ, માયા, માન, ક્રોધરૂપ પાંચ દુર્ગુણોને હટાવવા ખૂબ ઉપયોગી નીવડે છે.
એથી પંચપરમેષ્ઠીઓ કરતાં તેમના પ્રતિ ગુણાનુલક્ષી, વિનય, નમ્રતાપૂર્વક કરાતો નમસ્કાર એ આત્મશુદ્ધિનો પાયો છે. માટે ‘મો’ પહેલાં મૂકયું છે.
પરમેષ્ઠીઓ કરતાં તેમને ગુણાનુલક્ષી કરાતો નમસ્કાર આત્મશુદ્ધિનું વધુ કારણ છે. એ વાત ધ્યાનમાં લેવા જેવી છે.
સંસ્કારોની પકકડ મિથ્યાત્વમાંથી ઊભી થાય છે અને લોભ – માન, માયા તથા ક્રોધથી મજબૂત થાય છે. આરાધક પુણ્યાત્માએ સંસ્કારોની પકકડમાંથી છૂટવું ખાસ જરૂરી છે.
તે માટે અરિહંતાદિ પાંચે પરમેષ્ઠીઓને ગુણાનુલક્ષી નમસ્કાર કરવો જરૂરી છે. આ રીતે શ્રી નવકાર સંસ્કારોની પકકડ ઢીલી કરી જીવનશુદ્ધિના રાજમાર્ગે આપણી શકિતઓને આગળ વધવામાં ખૂબ જ સહયોગી નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org