________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
જાપ ઉચ્ચારપૂર્વક કરાય તો ૧૨ વર્ષે ત્યાંનું વાતાવરણ એવું તૈયાર થઇ જાય કે જેથી તે સ્થાન પર ગમે તેવા ક્રોધી, બદમાશ, લોફર, લૂંટારા - હત્યારા, ગુંડાગીરી કરનારાને તેવા આસન ઉપર માત્ર બેસવાનું કહો (ગમે તેટલી ૫-૨૫-૫૦ કે ૧૦૦ રૂપિયાની લાલચ આપીને પણ) અને તે ત્યાં બેસે તો ફકત ૧।। મિનિટ ૯૦ સેંકડ પછી તે હલકટ માણસના મુખમાંથી તે ગમે તે ધર્મનો – સંપ્રદાયનો હશે તો પણ તમે જે રામ, કૃષ્ણ, હરિ કે અરિહંત જેના ઉચ્ચારપૂર્વક જાપ કર્યો હશે તે જ મંત્ર કે નામ પ્રકટ થવા માંડશે.
-
આ છે મર્યાદાપૂર્વક કરાયેલ જાપની તીવ્ર અસર.
એટલે શ્રી નમસ્કાર મહામંત્ર તો અનંતાનંત વર્ણશકિતથી ભરપૂર છે. તેમાં તો નિયત સમય, નિયતસ્થાન, નિયત સંખ્યાના બળે ટૂંક સમયમાં જ દિવ્ય-અતિદિવ્ય આત્મશકિતઓના ઓજસ્ અનુભવવા મળે.
Jain Education International
33
માટે પ્રમાદ, આળસ, ઉપેક્ષાને દૂર કરી, અંતરને શ્રદ્ધાભક્તિપૂર્વક સમર્પિત કરી નિયતસ્થાન, નિયત સંખ્યાએ નિયત સમયે ઉચ્ચારપૂર્વક જાપ કરવાથી દિવ્ય અતીંદ્રિય આત્મશકિતનો પ્રત્યક્ષ અનુભવ થશે.
આ અનુભવ સત્ય છે, જરૂર તમે પણ આનો સ્વાદ લો.
For Private & Personal Use Only
www.jainelibrary.org