SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા એટલે “કોક પ્રખ્યાત વ્યક્તિની નાતના અમે છીએ” એમ કહેવાથી તે વ્યકિતનું મહત્ત્વ વધે છે અને પેલા પ્રખ્યાત વ્યક્તિ અમારી નાતના છે એમ કહેવાથી આપણી નાતની કિંમત વધે – પેલી પ્રખ્યાત વ્યક્તિ પણ અમારી નાતના છે. આ રીતે મહાવીરસ્વામીજીને નમસ્કાર કે તીર્થંકરોને નમસ્કાર એમાં મહત્ત્વ પ્રભુ મહાવીર કે તીર્થંકર પરમાત્માનું થાય છે. પણ નમસ્કાર થાઓ અરિહંતોને એમ કહેવાથી નમસ્કારનું મહત્વ વધે છે. અહીં ખાસ વિચારવાનું એ કે અરિહંતો વીતરાગ નિર્મોહી એટલે તેમને નમ્યા તો ય ઠીક, ન નમ્યા તોય ઠીક. સિદ્ધો તો નિરંજન – નિરાકાર એટલે તેઓ શો લાભ આપણને આપે ! આચાર્ય-ઉપાધ્યાય-સાધુ એ ત્રણે તો સંસારી છે. પ્રસ્થ છે, પોતે જ કર્મથી બંધાયેલા એટલે તેમને નમ્યાથી શો ફાયદો ? આવી વિચારણા એક તરફી ઊભી થઈ શકે. તો આ પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર શા માટે? તો એનો ખુલાસો એ છે કે પાંચ પરમેષ્ઠીઓ કંઈ આપણાં કર્મનાં બંધનોને ઉખાડીને ફગાવી દે એવા પરમાત્માના કર્તુત્વવાદમાં વિશ્વાસ ધરાવવો ઉચિત નથી. પણ આ પાંચ પરમેષ્ઠીઓના આલંબને આપણા અધ્યવસાયો – વિચારો – ભાવનાઓમાંથી અહં-મમનું વિસર્જન, રાગ-દ્વેષની મંદતા અને સંકલિષ્ટ પરિણામોનો ઘટાડો થાય છે. તેનું ફળ વિનય – નમ્રતા – આદર્શ નમસ્કાર આપણને મળે છે. પણ પંચપરમેષ્ઠીઓના આલંબનથી આવો નમસ્કારનો ભાવ આપણને ઊપજે છે. માટે પંચપરમેષ્ઠીઓ આપણા માટે ખૂબ જ આદરણીય બને છે. પંચપરમેષ્ઠીઓના બદલે કંચન, કામિની, ધનવૈભવ, કુટુંબ, પુત્ર-પુત્રી આદિ કુટુંબ, કે કાયાના નિમિત્તે આપણા અધ્યવસાયોમાં રાગ-દ્વેષની તીવ્રતા થાય, અંતરનાં પરિણામોમાં સંલેશ વધે એટલે અહ-મમ ભાવ વધે. પરિણામે કર્મનાં બંધનો વધે. પણ પંચ પરમેષ્ઠીઓના નિમિતે અહંભાવ-અહ-મમના વિચારો અને રાગ-દ્વેષમાં ઘટાડો થાય છે. અને પરિણામે ઉત્કૃષ્ટ ગુણાનુરાગ ઊપજે છે અને વિનય - નમ્રતારૂપ ભાવનમસ્કાર પ્રગટે છે. એટલે પંચપરમેષ્ઠીઓના નિમિત્તે ઊપજતો આદર્શ ભાવ નમસ્કાર એ જ આપણા આત્માની શુદ્ધિનું પ્રધાન કારણ છે. માટે શ્રી નમસ્કાર મહામંત્ર કહેવાય છે. આવા શ્રી નમસ્કાર મહામંત્રનાં નિયત સ્થાન, સમય અને નિયત સંખ્યાથી જાપ કરવાથી એવું દિવ્ય વાતાવરણ બને છે – કે જેનાથી આંતરિક રાગ-દ્વેષના વિષમ કલુષિત પરમાણુઓનું વાયુ મંડળ હટી જાય છે. આ અંગે આજના વિજ્ઞાને પણ શબ્દ શક્તિના વિવિધ પ્રયોગો કરી એવું તારણ કાઢ્યું છે કે એક જ આસને, એક જ સમયે, એક જ સંખ્યામાં ફકત પાંચ મિનિટ ગમે તે ઈષ્ટ દેવતાના મંત્રનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy