________________
શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા
૩૧
આગળ વધ્યા પછી તે સંખ્યા ઘટાડવી નહીં. ૩ નવકાર પછી ૭, ૯, ૧૨, ૨૭, ૩૬, ૪૧, ૮૧, ૧૮, આ ક્રમે જાપ વધારવો. પણ આગળ વધ્યા પછી તે સંખ્યા પાછી ઘટાડવી નહીં. આગળ વધ્યા પછી તે સંખ્યા જાળવી રાખવી. વધારેલી સંખ્યા નિયતપણે જળવાય તેમ હોય તો જ સંખ્યા વધારવી.
આ રીતે પાંચ બાબતોની ચોકકસાઈપૂર્વક કરાતો જાપ અંતરની શકિતઓનાં દ્વાર ખોલી દે છે. ગમે તેવા વિષમ કર્મોના બંધનને પણ તોડી નાંખે છે. તમે પુણ્યશાળી છો કે - આવા મહામહિમશાળી શ્રી નવકાર મહામંત્રના આરાધક છો. તો ઉપરની પાંચ બાબતોમાં કોઈ ઢીલાશ હોય તો દૂર કરવા પ્રયત્નશીલ થશો.
૧૪
પાટણ
૧૭-૫-૮૩ ગયા પત્રમાં શ્રી નવકાર મંત્રાધિરાજ કેમ? અને તેના જાપની મર્યાદા વિષે જણાવેલ. આજે વિચાર કરવો છે કે – શ્રી નવકારમાં મહત્ત્વ કોને ? પંચપરમેષ્ઠીઓને કે નમસ્કારને? જગપ્રસિદ્ધ નામ શ્રી નવકાર મંત્ર છે. તે સૂચવે છે કે નમસ્કારનું મહત્ત્વ છે.
આપણામાં વ્યાપી ગયેલ અહેમમનો ભાવ અગર અહંકાર = ભૌતિક પદાર્થોની સમૃદ્ધિનું અભિમાન – જેમ જેમ ઘટે તેમ તેમ પુણ્યવાન આરાધક પોતાના જીવનને વધુ ઉન્નત બનાવી શકે.
જગતમાં બધે શ્રી વિષ્ણવે નમ: શિવાય નમ:, શ્રી મહાવીરસ્વામિને નમ: એ રીતે પ્રથમ જેને નમસ્કાર કરાય તેનું નામ અને નમ: પદ છેલ્લે આવે છે. પણ શ્રી નવકારમાં નો પ્રથમ આવે છે અને જેમને નમસ્કાર કરાય છે તે પંચપરમેષ્ઠીઓ પછી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org