SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા ૨૯ રીતે અનુભવવા માટે નીચેની પાંચ બાબતોનો ખ્યાલ સંપૂર્ણ તકેદારીપૂર્વક રાખવાની જરૂર છે. ૧. નિયત સ્થાન, ૨. નિયત સમય, ૩. નિયત દિશા, ૪. નિયત માળા, ૫. નિયત સંખ્યા, વિવેકપૂર્વક આ પાંચ બાબતો જાળવવા આગ્રહ રાખવાથી ત્રીજે અઠવાડિયે જ અપૂર્વ ચિત્ત શાંતિ અનુભવાય છે. ૧) જે સ્થાન પર શ્રી નવકાર ગણવા શરૂ કર્યા, ખાસ અગાઢ કારણ વિના તે સ્થાન બદલવું નહીં. સ્થાનની હેરફેર કરવાથી મંત્રજાપ દ્વારા સર્જેલું માંત્રિક વાતાવરણ ડોળાઈ જાય. કદાચ કોક પ્રસંગે સ્થાન બદલવાની જરૂર પડે તો એક શ્વેત શુદ્ધ ઊનનું આસન નિયત રાખ્યું હોય તો તે આસન લઈ જવું, તેના ઉપર બેસીને શ્રી નવકારનો જાપ કરવો જેનાથી માંત્રિક આંદોલનોની યોગ્ય અસર આપણને મળી શકે. ૨) આ પ્રમાણે સમયની ચોકકસાઈ પણ ખૂબ મહત્ત્વની છે. જાપ માટે સામાન્યથી સવારે ૪ થી ૭ નો સમય ઉત્તમ છે. ૭ થી ૧૦ સવારનો સમય મધ્યમ છે. બાકીનો સમય કનિષ્ઠ છે. આ રીતે રાત્રે સૂર્યાસ્ત પછી ૧ કલાક બાદ ૧૦ સુધીનો સમય શ્રેષ્ઠ છે. સવારે ૪ થી સૂર્યોદય સુધીનો સમય ઉત્તમ છે. આ સિવાય સામાન્યથી રાત્રે જાપ ઉચિત નથી. જે સમયે જાપ શરૂ કર્યો હોય તે જ સમય શકય પ્રયત્ન જાળવી રાખવો જેથી તે તે આંદોલનોની ધારી અસર આપણા ચૈતન્ય ઉપર વ્યવસ્થિત રીતે થઈ શકે. વારંવાર સમયમાં ફેરબદલી સ્વચ્છંદતાને વધારે છે અને અશુભ સંસ્કારોને કાઢવાનું કામ શબ્દશકિત દ્વારા કરવાનું છે, તેમાં ચોકકસ સમયે જાપથી ઊપજતાં તીવ્ર આંદોલનોની મહત્તા છે. તે થવા ન પામે માટે સમયની ચોકકસાઈ જરૂર જાળવવી. ૩) જાપમાં સવારે ૪ થી સૂર્યાસ્ત સુધી – પૂર્વ દિશા સન્મુખ મુખ રાખી જાપ કરવો જરૂરી છે જેથી આત્માની શુદ્ધિમાં ખૂબ ઝડપી વિકાસ થાય. સૂર્યાસ્તના એક કલાક પછી સવારે ૪ વાગ્યા પૂર્વે - રાત્રે જાપમાં ઉત્તર દિશા સન્મુખ જાપ કરવો. વ્યવસ્થિત રીતે તે તે દિશાઓમાંથી કોસ્મિક રેઝ-કિરણોની ધારી અસર મેળવી આત્મશુદ્ધિ માટે દિશાનો વિવેક જાળવવો ખાસ જરૂરી છે. દિશા માટે ચોકકસાઈ ન રાખનાર પશ્ચિમ-દક્ષિણના સમય ફેરે અશુભ કિરણોની અસર તળે જાપ શકિતના વિકાસની ભૂમિકા મેળવી ન શકે. ઊલટું કયારેક વિપરીત અસર તળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy