________________
૨૮
મૈં
૧૩
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
સાગર જૈન ઉપાશ્રય,
૧૫-૫-૮૩
વિ. ગયા પત્રમાં શ્રી નવકાર એ મંત્ર કેમ ? અને મહામંત્ર કેમ ? તેનો અમુક વિચાર કરેલ. પણ આ વખતે એક નવો મુદ્દો વિચારવાનો છે કે જગતમાં સામાન્યથી જેમાં ૐ હીં કર્લી શ્રીં આદિ બીજાક્ષરો હોય તેને મંત્ર કહેવાય છે.
કા
જ્યારે આ શ્રી નવકારમાં તેવા કોઈ બીજાક્ષરો નથી તો તેને મંત્ર મંત્રાધિરાજ શી રીતે ? આ પ્રશ્ન સહજ રીતે ઊપજે તેમ છે.
તેનો ખુલાસો એ છે કે, ૐ હીં શ્રીં કલીં એ બધી મંત્રશકિતની સ્વીચો છે જેનાથી બીજા ચાલુ અક્ષરોમાં મંત્રશકિતના પ્રવાહને પ્રસારિત કરી શકાય છે.
પણ શ્રી નવકાર તો સ્વયં શાશ્વત અનાદિ કાળથી વિશિષ્ટ શુદ્ધ ચૈતન્ય શક્તિના પ્રવાહથી ભરપૂર ૬૮ વર્ણોથી બનેલો છે.
તેમાં કોઈ સ્વીચ – બટનની જરૂર નથી. માત્ર આપણા કનેકશનને પ્લગ દ્વારા જોડવાની જરૂર છે. એટલે શ્રી નવકારની દિવ્ય શકિતઓ અખૂટપણે નવકારના એકેક અક્ષરમાં પ્રવાહિત હોઈ તેને બીજા મંત્રની માફ્ક ૐ હૌં શ્રીં કલીં જેવા બીજાક્ષરો લગાડવાની જરૂર નથી.
આ કારણે જ શ્રી નવકાર મંત્રાધિરાજ કહેવાય છે. ખળખળ વહેતી નદીના પ્રવાહમાં ઇલેક્ટ્રિસીટીનો પ્રવાહ ભરેલો જ છે માત્ર તેને મૂર્તરૂપ આપવા અમુક મિકેનીકેલ મશીનોની ગોઠવણ કરવી પડે.
Jain Education International
શ્રી નવકાર દિવ્ય શકિતઓના અખૂટ સ્રોતથી ભરેલો છે. આપણે શરણાગતિ દ્વારા નેગેટિવ બનીએ તો પોઝીટિવ પાવર તો શ્રી નવકારમાં ઘણો ભર્યો છે તુરત તેનો દિવ્ય અનુભવ થાય જ.
આવું બીજા કોઈ મંત્રમાં બનતું નથી. બીજા બધા મંત્રો તો સતત જાપ = ૧૨|| હજાર, ૧| લાખ, ૯ લાખ, ૧૫ ક્રોડ કરીએ એટલે ઘર્ષણ થવાથી વિદ્યુત શકિત ઊપજે તેનાથી તે મંત્રો પ્રભાવિત થઈ ઇષ્ટસિદ્ધિદાયક બને.
શ્રી નવકારમાં માત્ર આપણું કનેકશન શરણાગતિના તારથી જોડીએ કે તુરત કષાયોની શાન્તિ, વાસનાના આવેગોની મંદતા, વિનય, વિવેક, સદાચાર આદિની સ્ફૂર્તિ થવા જ માંડે.
આ દષ્ટિએ શ્રી નવકાર મંત્રાધિરાજ ગણાય છે. આવા શ્રી નવકારને વધુ દિવ્યશકિત સંપન્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org