SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા પેઢી અનાદિકાળથી ખોલી છે. તેના હેડમુનિમ તરીકે મનજીભાઈને બેસાડ્યા. તેના હાથ નીચે પાંચ ઈન્દ્રિયો ગુમાસ્તા તરીકે નકકી કર્યા. પણ અનાદિકાળથી આપણી આ ભાગીદારની પેઢી નુકસાનીમાં જ ચાલે છે, કેમ કે આપણો ભાગીદાર કરમચંદ એવો જબરો, ચાલાક, સ્વાર્થ-પટુ અને ચબરાક છે, કે તેણે પોતાના જ માણસોને પેઢીના સંચાલક તરીકે મુખ્ય મહેતાજી અને ગુમાસ્તા તરીકે રાખ્યા છે. આત્મારામ શેઠ એવો બેપરવા, બેફિકરો કે કયારેય પોતાની પેઢીના થાવરો - રોજમેળ જેતો નથી. ચૈતન્યશક્તિની બધી મૂડી આત્માની, તે મૂડી તો ચબરાક ભાગીદાર અને ઈન્દ્રિયો દ્વારા ખોટે રસ્તે ખર્ચાવી નુકસાનીમાં પેઢી ડુબાવી રહ્યા છે. કરમચંદે પોતાના મળતિયા મનજી મહેતા કેટલીય વાર નાદારીમાં આ પેઢીના કુરચા ઉડી ગયા. પરિણામે આત્માને નરક-નિગોદ-તિર્યંચના ભવમાં અનેક નાનાવિધ વિટંબનાઓ ભોગવવી પડી છે. છતાં આત્મારામ શેઠ આ ચબરાક કરમચંદે પીવડાવેલ મોહની મદિરાના રસમાં ભાન ભૂલી ફરીથી આખી પેઢીનો દોર તે જ બદમાશ મનજી અને ઇન્દ્રિયોના હાથમાં સોંપે છે. પરિણામે આત્મા કેટલીક વાર દેવાળું કાઢી નરક-તિર્યંચ-નિગોદના કેદખાનામાં સબડે છે. આવી સ્થિતિ અનંતજ્ઞાનીઓએ નિહાળી, તેથી પરમ કરુણા કરી મનજી મહેતાની શક્તિને નાથવા આત્માને સાવચેત કર્યો. બીજું કંઈ નહીં – અનંતજ્ઞાનીઓએ આત્માને સાવચેત કર્યો કે મન અને ઈન્દ્રિયો પર કાબૂ રાખવો, તેઓ પોતાની મેળે કંઈ ન કરે, આત્મારામ શેઠને પૂછીને બધું કરવાની મર્યાદા ગોઠવવી. પરિણામે મનને આત્મા તરફ વાળવાથી મનની બધી શકિત નિયંત્રિત થઈ જાય, તેનો સ્વછંદવાદ કાબૂમાં આવી જાય, મનને ઊંધું કરીએ એટલે નમ થાય. મન સંસાર તરફ વળે છે. એટલે સ્વચ્છંદવાદ વધે છે. પણ ઊલટાવી તેને આત્મા તરફ વાળીએ એટલે મન-નમ બની જાય. પરિણામે આત્મા પોતે પરમાત્માની આજ્ઞા સાથે સંકળાયેલ હોઈ આત્મા પરમાત્માની આજ્ઞા તરફ નમ્ર બને, એટલે મન-ઈન્દ્રિયોની સ્વચ્છંદ પ્રવૃત્તિઓનો ધમધમાટ શમી જ જાય. એટલે મનના દોર પ્રમાણે ચાલવું તેનું નામ સંસાર !! નમ = આશાના ધોરણે ચાલવું તેનું નામ આત્મ વિકાસ !!! આટલા માટે એક જ્ઞાની પુરુષે કહ્યું છે કે મનર = મન મુજબ ચાલવાનો પ્રયત્ન આપણા સઘળાં દુઃખો-અનર્થોનું મૂળ છે. અને નમશR = આજ્ઞા પ્રમાણે વૃત્તિઓને વાળવાનો પ્રયત્ન આત્મ-વિકાસની સફળ કંચી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy