________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
પાણીની જેમ અહંભાવ - અહંકારનું વિરોધી તત્વ નમસ્કાર છે. અહંભાવ નમ્રતાથી શમે, તો કોના તરફ નમવું? આપણા જ આત્માની વિશુદ્ધ પાંચ અવસ્થાઓ છે.
સાધુપણું, ઉપાધ્યાયપણું, આચાર્યપણું,
અરિહંતપણું,
અને સિદ્ધ = મોક્ષાવસ્થા જેમ ખાણમાંથી નીકળેલ સોનું રાસાયણિક દ્રવ્યોથી માટીમાંથી જુદું પડી વીંટી, કડું, પોંચી, નેકલેસરૂપે ઘડાય છે પણ સોના તરીકે બધામાં એકરૂપતા છે. તે રીતે કર્મરૂપ માટીમાં આવેલ આત્મારૂપ સોનું ધર્મક્રિયાઓ, સદાચાર, પ્રવૃત્તિરૂપ રાસાયણિક ક્રિયાઓથી શુદ્ધ થવા રૂપે ધીમે ધીમે શ્રાવકપણામાંથી સાધુપણું આવે.
પછી મોહનીય કર્મ થોડું ખસે ત્યારે ઉપાધ્યાયપણું આવે, વળી વધુ મોહનીયકર્મ ખસે ત્યારે આચાર્યપણું આવે.
વળી સર્વોત્કૃષ્ટ રીતે જગતના બધાના કલ્યાણની ભાવનાના ઉચ્ચ પગથારે પહોંચીએ એટલે અરિહંતપણું આવે અને સઘળાં કર્મોનાં બંધનો અળગાં થઈ જાય એટલે આત્મા પૂર્ણ સ્વરૂપી થઈ સિદ્ધિગતિમાં, મોક્ષે પહોંચી જાય.
એટલે નવકારમાં શરૂનાં પાંચ પદોમાં જે પાંચ પરમેષ્ઠીઓ છે તે આપણા જ આત્મારૂપ સોનાના જુદા જુદા ઘાટ છે. શાસ્ત્રમાં આને પર્યાય કહે છે. એટલે મનને અશુભ સંસ્કારોના આક્રમણથી બચાવનાર અક્ષરોના સમૂહને મંત્ર કહેવાય. પણ કયો અક્ષર-સમૂહ આપણા મનને બચાવે તે સમજવા મંત્રની પાછળ નમસ્કાર = નવકાર શબ્દ કહ્યો.
એટલે આત્માની શુદ્ધ અવસ્થા રૂપ પાંચ પર્યાયોને નજર સામે રાખી આવી પાંચ અવસ્થાઓ મારે મેળવવા જેવી છે તેથી તે પાંચ અવસ્થા તરફ નમ્રતાનો ભાવ જેમ જેમ વધે તેમ તેમ અહંકાર = આહંભાવ ઓગળે, તેથી અશુભ વિચારો, અશુભવાણી અને અશુભ આચારોનું આક્રમણ ઘટે. એટલે જેમ જેમ નવકાર ગણીએ તેમ તેમ અંતરમાં આત્માની વિશુદ્ધ પાંચ અવસ્થારૂપ પંચપરમેષ્ઠી તરફ આપણી નમ્રતા વધે. મનમાં એમ થાય- મારે પુરુષાર્થ કરી આ ક્રમે પરંપરાએ સિદ્ધ થયું છે. આ જાતના સંકલ્પથી મનનું અશુભ વિચારો આદિથી ખરેખર રક્ષણ થાય છે. માટે શ્રી નવકારમંત્ર એ રૂઢ નામ ખૂબ જ અર્થપૂર્ણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org