________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
ક
સાગરનો ઉપાશ્રય, પાટણ
ર૯-૪-૮૩, ચૈવ૨, બુધવાર વિ. આરાધનાના પંથે વિચારધારાનું શોધન જરૂરી છે. વિચારધારા સુધર્યા વિના જીવન સુધરે નહીં. જીવન સુધર્યા વિના આરાધના સફળ ન ગણાય.
તેથી વિચારોમાં રહેલ રાગ-દ્વેષ અને અજ્ઞાનના સંસ્કારો ટાળવા જરૂરી ગત પત્ર નં.-૮માં મૈત્રી આદિ ભાવોની વિચારણા શરૂ કરી છે.
ગયા પત્રમાં જગતના જીવોને સુખિયા જોઈ ઈર્ષ્યા ન કરવી તેમજ બીજા ગુણિયલ જીવોને જોઈ હૈયામાં આનંદોલ્લાસ થવાની વાત જરૂરી બતાવી છે.
આ પત્રમાં દુનિયાના જીવોમાં ગુણિયલ જીવોની સંખ્યા જૂજ હોય. પરદ્રોહ – પરોપકાર – અને ષનિંદા અને ભયંકર દુર્ગુણોવાળા જીવો ઘણા હોય. તે બધાને જોઈ આપણે જે તિરસ્કાર કે ઘણાના પંથે વળી જઈએ તો આપણી ચેતનાનો વિકાસ ન થવા પામે, તેથી આ પત્રમાં માધ્યચ્યા ભાવના – કે જે આરાધનાના પંથે ખૂબ જરૂરી છે તેનો વિચાર કરવાનો છે. આખા જગતની પટલાઈ કરતાં આપણે આપણું ખોઈ બેસીએ છીએ તે સ્થિતિમાંથી બચવા માધ્યચ્ય ભાવ ખૂબ જરૂરી છે.
જગતના જીવોમાં કેટલાક મૂઢ જીવો એવા પણ હોય છે કે જેમને પોતાના દુર્ગુણોનું ભાન ન હોય - ભાન હોય છતાં કદાચ તે દુર્ગુણોની પકકડમાંથી છૂટે તેવા ન હોય. એવા જીવોને જોઈ સહજ રીતે મનમાં રોષ પ્રગટે – તે રોષ ન પ્રગટવા દેવો અને જીવ કર્માધીન છે. એ બિચારો કર્મસત્તાથી જકડાયેલ છે. બિચારાને સદબુદ્ધિ થાઓ, એનાં દુષ્કર્મોનો નાશ થાઓ એવી જાતની વિચારણાથી સાધનાપંથે ચાલનારા પુણ્યાત્મા બીજાના દુર્ગુણોની પંચાતથી પોતાનું ગુમાવતા નથી. આ જાતની મનોવૃત્તિની કેળવણી તેનું નામ માધ્યચ્ય ભાવના.
જેવી રીતે પારકાના અસાધ્ય દોષો કે વિકૃત દુર્ગુણો પ્રતિ ઉપેક્ષાભાવ કેળવવો જરૂરી છે તે રીતે જીવનમાં પુણ્યના યોગે મળી આવતાં ક્ષણિક તુચ્છ ઈન્દ્રિયજન્ય સુખો પ્રતિ ઉપેક્ષાભાવ વૈરાગ્ય બળે - પરિણામ વિરલતાના વિચારની દષ્ટિએ કેળવવો જરૂરી છે જેથી જગતનાં સુખોનું આકર્ષણ આરાધક પુણ્યાત્માને નડે નહીં.
સંસારનાં સુખ પરિણામે દુર્ગતિમાં લઈ જનાર છે. તેથી ઝરમિશ્રિત મીઠાઈની જેમ સંસારનાં સુખો ઉપેક્ષણીય છે. એ ભાવ કેળવવો પણ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org