________________
શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા
આ રીતે બીજા સુખી જીવોની હાર્દિક શાંતિને જાણે નહીં. જાણવા પ્રયત્ન ન કરે અને જાણ્યા પછી તેનાથી પોતે રાજી ન થાય. તો આપણને પણ સાચી ચિત્તશાંતિ પ્રાપ્ત થતી નથી.
ખરેખર ગુણી આત્માના બહુમાન વિના ગુણની પ્રાપ્તિ સંભવિત નથી.
તે મુજબ બીજા સુખિયા જીવોના સુખને જોઈ આપણે આનંદી ન બનીએ તો આપણને કદી સાચી ચિત્તશાંતિ મળતી નથી.
હવે સુખ બે પ્રકારના – આત્મિક અને વિષયોનું. પાંચ ઈન્દ્રિયોના વિષયોથી જે સુખ – આનંદ મળવાની માત્ર બ્રાંતિ થાય છે. પણ હકીકતમાં તે આનંદ ક્ષણિક અને અપથ્ય આહારની જેમ પરિણામે બહુ અનર્થ ઉપજાવે છે. તેથી સંસારના પાંચ ઈન્દ્રિયોના સુખને મેળવનારા જીવોને જોઈ વધુ આનંદ ન પામવો, ઊલટું તેઓની ભાવદયા ચિંતવવી કે બિચારા! પરિણામે દુર્ગતિના કેવાં દુઃખ પામશે.
ખરેખર સુખ તો આત્માનું – કે જે સાચી સમજણ-વિચારણામાંથી ઊપજે છે. તે એકાંત હિતકારી અને પથ્ય આહારની જેમ શાશ્વત સુખ-આનંદની અનુભૂતિ કરાવનાર છે.
આ આત્મિક સુખ જેમ જેમ રાગ - દ્વેષ - મોહ કે અજ્ઞાન ઘટે વિવેક, વિનય, સદાચાર અને પરોપકાર વૃત્તિ વિકસે, તેમ તેમ સાચી સમજણ વધવાના આધારે અંતરનો આનંદ વધે છે. તેથી મહાપુરુષો - પરમાથી સજ્જનો અને મુનિઓના જીવનમાં આત્મિક સુખની માત્રા વધતી હોય છે. તો મહામુનિઓથી તે ઠેઠ સમ્યકત્વી-માર્ગાનુસારી જીવો સુધીના આત્માઓ મોહના ઘટાડાના આધારે સાચી સમજણ – વિવેકબુદ્ધિના વધારાથી આંતરિક આત્મિક આનંદની અનુભૂતિ કરે છે.
તે બધાનો આંતરિક સુખો અને ગુણોના વિકાસને જોઈ આપણે ખૂબ આનંદિત થઈએ તે પ્રમોદભાવના છે.
આ પ્રમોદભાવના પ્રકટ કરવાનાં ત્રણ સાધન છે. મન - વચન - કાયા. મનથી આ બધા પ્રતિ હાર્દિક બહુમાન, વચનથી આવા પુણ્યાત્માઓની ગુણાનુરાગભરી પ્રશંસા, કાયાથી આ બધા પુણ્યાત્માઓને વંદન, નમસ્કાર, વિનય, ભકિત, આદર વ્યકત કરવો. - આ જાતના ગુણિયલ આત્માઓ પ્રતિ સ્વ-પર-ઉભય કૃત-વંદનાદિ દ્વારા આપણી સઘળી ઈન્દ્રિયો દ્વારા હર્ષનું વ્યતીકરણ તે પ્રમોદભાવની પરાકાષ્ઠા છે.
શ્રી નવકારના આરાધક તરીકે દરેક પુણ્યવાને બીજાના સુખને દેખી અંતરમાં હર્ષ – આનંદનું વ્યકતિકરણ તેમજ બીજાના ગુણો જોઈ અંતર આનંદ – હર્ષોલ્લાસથી નાચી ઊઠે તેવા પ્રમોદભાવને કેળવવાની ખાસ જરૂર છે. અંતરમાં વિવેક બળે આ જાતના ચિંતનનું બળ કેળવવાથી શ્રી નવકાર મહામંત્રના જાપમાં અપૂર્વ આનંદ ઊપજે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org