SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા J) STUS સાલ્વીવાડો, જૈન ઉપાશ્રય, ત્રિકોરીયું. ચૈત્ર સુ. ૧૪, ગુરુવાર આ વખતે અજ્ઞાત કારણોસર પત્ર મોડો મોકલાય છે. ગયા પત્રમાં કરુણાનો વિચાર કરેલ. હવેના પત્રમાં પ્રમોદભાવની વાત વિચારાય છે. જીવમાત્ર પ્રતિ આત્મભાવની કેળવણીરૂપ મૈત્રી ભાવના વિકાસમાંથી દુનિયા છવો પ્રતિ કરૂણા ભાવના, તેમ સુખિયા અને ગુણિયલ વ્યક્તિ તરફ હાર્દિક આનંદરૂપ પ્રમોદભાવના પ્રગટે છે. આ રીતે મૈત્રીભાવના પ્રકર્ષમાંથી પ્રમોદભાવની ઉત્પત્તિ જાણવી. આ પ્રમોદભાવના આધારે બીજા જીવોને સુખી કે ગુણિયલ જોઈ અંતરમાં ઈષ્ય-અસૂયાનો ભાવ ન ઊપજે. સુખિયા માણસોની ઈર્ષ્યા અને ગુણીયલ માણસો પ્રતિ અસૂયા એ ખરેખર જીવનની અધમ કક્ષા સૂચવે છે. કેમ કે ઈષ્ય-અસૂયા વધે એટલે બીજા જીવો તરફ પ્રમોદભરી ભાવનાના બદલે અદેખાઈમાંથી બીજાના ગુણોમાં પણ દોષની કલ્પના થવા માંડે, પરિણામે બીજા જીવોના ગુણોની અનુમોદના થતી નથી. તેના સુખની ઈર્ષ્યાથી આપણા હૈયામાં બળતરા જન્મે છે. પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. આનો એક માત્ર ઉપાય પ્રમોદભાવ. એટલે મારા જેવા જગતના બીજા જીવો સુખ પામે તો જેમ મને સુખ વહાલું છે તેમ બીજાઓને પણ આ સુખ મળવાથી કેટલી શાંતિ થતી હશે એની કલ્પનાથી બીજા જીવોની સુખી અવસ્થા જોઈ આપણે પણ આનંદિત થઈએ. આ રીતે બીજા ગુણિયલ જીવોના ગુણોની અનુમોદના સતત વધવાથી આપણામાં ગુણાનુરાગ પ્રબળ થાય છે. પરિણામે તે તે ગુણનું અથાણું અગર તે તે ગુણોની સન્માનવૃત્તિ વધે છે. જો આપણે બીજાના ગુણને જાણીએ-ઓળખીએ નહીં કે જાણવાની દરકાર ન રાખીએ અથવા જાણ્યા છતાં તે પ્રતિ આદર-સન્માનની ભાવના ન જાગે તો હકીકતમાં આપણે કદી ગુણની પ્રાપ્તિ કરી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy