SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા བ༔ સાગરનો ઉપાશ્રય, પાટણ ચૈત્ર સુ. ૧૧, શુક્રવાર ગયા પત્રોમાં જીવનશુદ્ધિ માટે જરૂરી મૂળભૂત પાયા સમી મૈત્રીભાવનાની વાત વિચારી. તેને તમો યથાયોગ્ય સમજી વિચારી અમલમાં મૂકવા પ્રયત્ન જરૂર કરશો. હવે મૈત્રીભાવ જેમ જેમ આપણામાં વિકસે તેમ તેમ જગતના જીવોની દુઃખી પરિસ્થિતિ નિહાળી આપણા અંતરમાં કરૂણાનો સ્રોત વહે જ, તે કરુણા એટલે શું? તે વિચારીએ. સામાન્યથી દુઃખ બે જાતનાં, દ્રવ્યદુ:ખ – ભાવદુ:ખ. દ્રવ્યદુ:ખ = શરીર અને મન સંબંધી ભાવદુ:ખ = આત્માના પરિણામ – ભાવોની મલિનતા દ્રવ્યદુઃખમાં શરીરનાં દુઃખો, અસાતા વેદનીય કર્મનો ઉદય મુખ્ય, તે રીતે માનસિક દુ:ખમાં સમજણશકિતની ઓછાશ મુખ્ય હોય છે. હકીકતમાં દ્રવ્ય દુ:ખ દેખીતું ભારે લાગે, પણ સવિવેકની હાજરીએ તે દ્રવ્યદુ:ખ ગૌણ થઈ જાય છે. સંસારનાં બધાં દુઃખો સવિવેકની હાજરીએ આત્માને પાપકર્મના બંધનથી છોડાવનાર હોઈ સાપેક્ષ રીતે એટલા ભયંકર નથી, જેટલા ભાવદુ:ખને ઉપજાવનાર અવિવેકની જેટલી ભયંકરતા છે. હકીકતમાં દ્રવ્યદુઃખ ભાવદુ:ખમાંથી ઊપજે છે. જે જીવનમાં અવિવેક ન હોય તો દ્રવ્યદુઃખને દેનાર કર્મ બંધાય જ નહીં. તેથી આપણે પુરુષાર્થ અવિવેકને હઠાવવા કરવો જરૂરી છે. કયો અવિવેક! મારાં જ દુઃખો દૂર થાઓ એવો વિચાર અવિવેકનું ફળ છે. જગતના અન્યજીવો જે દુઃખી થઈ રહ્યા છે. તેના પ્રતિ આપણી ઉપેક્ષા એ ભારોભાર અવિવેકનું સ્વરૂપ છે. માટે મૈત્રીભાવમાંથી જગતના પ્રાણીમાત્રનાં દુઃખો દૂર થાઓ એવી ભાવના, યથાશય રીતે દુનિયાના જીવોનાં દુ:ખને દૂર કરવાના પ્રયત્નો તથા આપણાથી તેઓને દુઃખ ન થાય તેવો પુરુષાર્થ કરવારૂપે કરુણાભાવના જીવનમાં અપનાવવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy