________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
સાગર જૈન ઉપાશ્રય, પાટણ
ફીસુત્ર ૭, મંગળવાર પુણ્યવાનો ! ગયા પત્રમાં જરા ભારે ખોરાક તમને પીરસાઈ ગયો છે. જરા ઊંડું ચિંતન કરી બરાબર વાગોળી હૈયામાં સ્થિર કરશો.
એક બીજી વાત મહત્વની જણાવ્યું કે, આ પત્ર શ્રેણી તમોને ગમી કે નહીં ? ગમી તો માત્ર મોઘમ શ્રી નવકાર પ્રતિ શ્રદ્ધાથી કે ખરેખર આંતરિક જીવનશુદ્ધિના ધોરણે કંઈક મેળવ્યાના સંતોષથી ?
એ જરા ઊંડાણથી વિચારી આ પત્ર શ્રેણિમાં રજૂ થતી વિચારધારાને જીવનમાં પ્રેકિટકલ બનાવવા તરફ જરૂર મહત્ત્વ આપશો.
દૈનિક વ્યવહારમાં મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યથ્યને ઉતારવા પ્રયત્નશીલ બનશો.
હું – મારુંની દીવાલોને સમજણપૂર્વક જરા અળગી હટાવી સંસારના નાના - મોટા જીવો પ્રતિ આત્મીયતા કેળવવા પ્રયત્ન કરશો.
તેના ટેકામાં દુખિયા જીવો પ્રતિ કરુણા (ધીઠાઈનો અભાવ – મારે શું? એનું એ જાણે, એવો ભાવ ન આવવા દેવો) તેમજ ગુણવાન - સુખી જીવોને દેખી હાશ – એમ હૈયાધારણ રૂપ પ્રમોદભાવ અને છતે સાધને, છતી શકિતએ જીવનને વિકાસના પંથે ન લઈ જનારા તેમજ વિપરીત માર્ગે ચાલનારા પ્રતિ હૃદયના ઊંડાણમાંથી હશે ! જીવમાત્ર કર્મસત્તાને આધીન છે. એવા હાર્દિક વિચારણાને દૈનિક વ્યવહારુ જીવનમાં મૂર્તસ્વરૂપ બનાવતા રહેશો.
તેમાંથી શ્રી નવકારની આરાધનામાં ખૂબ ઉમંગ આવશે. વિચારોમાં તાજગી રહેશે. આ વાતને જરૂર અમલમાં મૂકશો.
હવે મૂળ વાત કે સર્વજીવો સાથે મૈત્રીભાવ નહીં કેળવનારો આત્મા માત્ર પોતાનો જ વિચાર, પોતાની સુખસગવડનો વિચાર તેમ જ પોતાના દુ:ખોની ગૂંચમાંથી ઊંચો નથી આવતો.
પરિણામે દુનિયાની સઘળી સારી ચીજો પ્રતિ મમતા, તૃષ્ણા, મેળવવાની લાલસા હૈયામાં તીવ્ર ખળભળાટ ઊભો કરે છે. કો'ક બીજાને ઉત્તમ ચીજો મળે તેની ઈર્ષ્યા થાય છે
સરવાળે આપણે તૃષ્ણાની ભયંકર, અતૃપ્તિ અને ઈર્ષાની ભીષણ આગમાં ફસાઈ જઈએ છીએ. પણ મૈત્રીભાવના વિકાસથી પોતાની જાતને સુખી કરવાના વિચાર ગૌણ બની દુનિયાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org