________________
ત્રિી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૧૩
આ ભૂલનું પરિમાર્જન કર્યા વિના કરાતી ધર્મની આરાધના માત્ર પુણ્યનો બંધ કરાવે પણ આત્માને નિર્જરાના માર્ગે લઈ જઈ વિશુદ્ધિના પંથે ન લઈ જઈ શકે.
એટલે મૈત્રીભાવની કેળવણી કરી જગતના પ્રાણીમાત્ર કર્માધીન છે. એમ સમજી તેનાથી આપણું સારું થાય તો તે લેણાદેણી – મારા ગત જન્મના પુણ્યના વિપાકમાં તે નિમિત્ત માત્ર છે. એટલે તેના ઉપર તે તરીકે રાગભાવ – પ્રેમભાવ ન કરવો.
તે રીતે જગતના જે જીવોથી આપણું દેખીતું નુકસાન કેમકે ખરેખર તો આપણે જ આપણા ખરાબ અધ્યવસાયોથી આપણું નુકસાન = કર્મના બંધનમાં ફસાઈને કરીએ છીએ. જગતના જીવો તો માત્ર નિમિત્ત બને છે.) થતું હોય તો ત્યાં આપણી લેણાદેણી નથી- મારા ગત જન્મના પુણ્યની ખામી છે. અગર મારા પાપનો ઉદય છે કે જેથી હું તેની પાસેથી સારું મેળવવાના બદલે દેખીતા નુકસાનને મેળવી રહ્યો છું. એ રીતે આપણું બગાડનાર જીવો તરફ પણ અંતરંગ દ્વેષભાવ ન થાય.
પણ મારા પૂર્વના પાપકર્મને ભોગવવામાં મદદગાર - મિત્રરૂપ છે એવો ભાવ થાય એટલે આપણું સારું કરનાર કરતાં પણ નુકસાન કરનાર વધુ ઉપકારી છે અને જૂના પાપકર્મના દેવામાંથી છોડાવે છે.
આવા વિચારોને પ્રધાનપણે સ્થાન આપવાથી આદર્શ મૈત્રીભાવ કેળવાય છે.
આવા મૈત્રીભાવની આરાધના દ્વારા જીવનને ઉન્નતિના પંથે લઈ જવાની ખાસ જરૂર છે. તેની કેળવણી માટે તમે પુણ્યાત્માઓ પ્રયત્નશીલ થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org