SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા આદિરૂપે ઉપર લઈ જવાની હોય છે. તેને માટે આપણે જીવન શક્તિઓને કૃતજ્ઞતા – વિનીતતા - પરમાર્થવૃત્તિ, સર્વજીવો સાથે મૈત્રીરૂપ પાઈપ નળના ફીટીંગ દ્વારા આજ્ઞા પાલનની તત્પરતા રૂપ ડબલ હોર્સ પાવરની મોટરથી ઉપર લઈ જવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. એટલે આજ્ઞાપાલનની મોટર તો તમારામાં પુણ્ય બળે ચાલુ થઈ ગઈ છે. વચ્ચે કયાંક ખોટકાય છે, છતાં મિકેનીકલ અગવડો દૂર થતાં પુનઃ ફટફાટ ચાલે છે. પુણ્યવાનો, હવે મૈત્રીભાવની પાઈપ ફિટીંગ સર્વપ્રથમ કરવાની જરૂર છે. પછી તો ફિટીંગમાં વેલ્ડીંગ - સ્કુ વગેરે રૂપે વિનીતતા, કૃતજ્ઞતા, પરમાર્થવૃત્તિ આદિ તો તમારી પાસે છે જ. માત્ર મૈત્રીભાવ (એના પેટામાં કરુણા, ગુણાનુરાગ અને માધ્યચ્ય આ ત્રણે તમારી પાસે છે જ) ને તૈયાર કરવાની જરૂર છે. ટૂંકમાં જગતના સર્વજીવો આપણી ચેતના જેવી જ ચેતના ધરાવે છે. તે વિચાર અપનાવી જન્મોજન્મની ઘર કરી ગયેલ મારું કામ થાઓ એ તમન્નાને જરા નબળી પાડી જગતના સર્વજીવોનું કલ્યાણ થાઓ. આ ભાવનાના પ્રકાશમાં આપણા માથે આવેલ જવાબદારીને અદા કરવાના પ્રયત્નમાં આપણા હાથે કોઈનું અહિત કે આપણા તુચ્છ (!) લાભ ખાતર કોઈને થતા નુકસાનની બેદરકારી ઘટવા માંડશે. આ બીજાનાં સુખ – દુઃખના વિચારની બેદરકારી ઘટી કે તુરત મૈત્રી ભાવની પાઈપલાઈન ઊભી થઈ સમજે. માટે ભાગ્યશાળીઓ ! શ્રી નવકાર ગણવા દ્વારા જીવનને શુદ્ધ નિર્મળ બનાવવાના સદ્વિચારને મૈત્રીભાવના ધરાતલ પર ગોઠવવાની જરૂર છે. એક મુદ્દાની ચીજ ખાસ ગંભીરતા સાથે સમજવી જરૂરી છે કે, આપણે જેમ દુનિયાના સારા પદાર્થો ઉપર રાગ અને આપણને અણગમતા પદાર્થો ઉપર દ્વેષ ધરાવીએ છીએ. તે રીતે આપણી અંદર એકબીજી ખાસિયત પણ છે. તે એ કે, આપણને ગમતાં માતા-પિતા-ભાઈ-બહેન આદિ કુટુંબીજનો-મિત્રો ભાઈબંધો તથા આપણી ઈચ્છા પૂર્ણ થવામાં મદદગાર બીજાઓ પર હાર્દિક રાગભાવ હોય છે. તેમજ સાંસારિક સ્વાર્થની દુનિયામાં આડે આવનાર અને આપણી ઈચ્છાપૂર્તિમાં આડખીલી કરનાર જીવો પર આપણે તીવ્ર દ્વેષભાવ ધરાવીએ છીએ. આનાથી આપણામાં અજીવ = જડ પદાર્થ પ્રતિ રાગ – દ્રષના ભાવથી બંધાતાં કર્મો કરતાં આપણા જેવા જ ચૈતન્યના સ્વામી આત્માઓ પ્રતિ આત્મા તરીકેની ઓળખાણ યથાર્થ રીતે ન થઈ હોવાથી ભલે ! અમુક પ્રતિ રાગ કરીએ પણ તે આપણા પૌગલિક ભાવના પોષણના માધ્યમ તરીકે. એટલે આત્મા તરીકેની પ્રતીતિ તેમાં ગૌણ થાય છે. વળી જેના પ્રતિ દ્વેષ કરીએ તેના પ્રતિ અશુભ સંકુલેશ ભર્યા વિચારોથી આત્માના ચૈતન્યના અપમાનનું ભયંકર પાપ થવાથી જીવો પ્રતિ થતા રાગદ્વેષ આપણને વધુ કર્મોના બંધનમાં ફસાવે છે. આવી ભયંકર ભૂલ મૈત્રીભાવની કેળવણી ન હોવાથી અનાદિકાલથી કરતા આવ્યા છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy