SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ (જે આપણા અપરિચિત છે)ના હિતનો વિચાર જ ખરેખર આધ્યાત્મિક જીવનનો પાયો છે. વિશ્વના પ્રાણીમાત્રના હિતનો ‘‘શિવમસ્તુ સર્વ જગત:’’ ‘“જગતના સર્વ જીવો સુખી થાઓ'’ એ રૂપનો વિચાર મૈત્રીભાવ ગણાય છે. ૧. આ મૈત્રીભાવથી ઉપકારીઓની હિતચિંતા ન કરવાથી ઊપજતો કૃતઘ્નતા દોષ દૂર થઈ કૃતજ્ઞતા ગુણ વિકસે છે. ૨. એ રીતે સ્વજનોની હિતચિંતા ન કરવાથી ઊપજતો કૃપણતા દોષ ટળી ઉદારતા ગુણ વિકસે છે. ૩. તેમજ પરિચિતોની હિતચિંતા ન કરવાથી ઊપજતો સ્વાર્થીપણાનો દોષ ટળી પરોપકાર ગુણ વિકાસ પામે છે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૪. તે રીતે અપરિચિતોની હિતચિંતા ન કરવાથી ઊપજતો એકલપેટાપણાનો દુર્ગુણ ટળી પરમાર્થવૃત્તિનો ગુણ વિકસે છે. આરાધક પુણ્યાત્માને ખાસ કરીને છોડવા જેવા ૪ મહાદુર્ગુણો છે. ૧. કૃતઘ્નતા – દોષ ૨. કૃપણતા - મહાદોષ ૩. સ્વાર્થીપણું – ભયંકર દુર્ગુણ ૪. એકલપેટાપણું – મહાભયંકર દુર્ગુણ શ્રી નવકારના આરાધકે મૈત્રી ભાવના વ્યવસ્થિત વિકાસબળે નીચેના ચાર સદ્ગુણો મેળવવા પ્રયત્ન કરવો. ૧. કૃતજ્ઞતા – કોઇના નાના પણ ઉપકારને ભૂલવો નહીં. ૨. ઉદારતા – આપણી પાસેની ચીજ-શકિતનો યથાશકય સદુપયોગ. ૩. પરોપકાર – બીજાનું કામ કરી છૂટવાની તૈયારી. ૪. પરમાર્થવૃત્તિ - બીજાનું કામ કરી ન શકાય તો પણ મનમાં બીજાનું સારું કાર્ય સારી રીતે નિર્વિને પાર પડો એવી હાર્દિક ભાવના. ઉપરના ૪ સદ્ગુણોને એકેક અઠવાડિયું જીવનમાં અમલમાં મૂકતા રહેવાની ખાસ જરૂર છે. આ સદ્ગુણોના વિકાસ માટે મૈત્રીભાવની કેળવણી ખાસ જરૂરી છે. આ સદ્ગુણોના વિકાસથી આધ્યાત્મિક જીવનને ડોળી નાંખનાર ચાર મહા દુર્ગુણો પર ક્રમશ: વિજય મેળવાય છે. ૧. કૃતજ્ઞતાથી ૨. ઉદારતાથી ૩. પરોપકારથી Jain Education International કૃતઘ્નતા પર વિજય કૃપણતા પર વિજય સ્વાર્થવૃત્તિ પર વિજય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy