SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા સાગર જૈન ઉપાશ્રય, પાટણ ૧૧-૪-૮૩, દ્વિ ફી વ. ૧૩ વિ શ્રી નવકારની આરાધનાનો પાયો છે - સ્વના સ્થાને જગતના પ્રાણીમાત્રના સુખનો વિચાર. આનું જ બીજું નામ મૈત્રીભાવ છે. વ્યવહારમાં મિત્રો છે કે જે આપણા આમોદ-પ્રમોદમાં સહયોગી હોય. આધ્યાત્મિક રીતે આપણી જાતને નિબંધ સુખી રાખવા ઈચ્છીએ તો આપણા જ નાના ભાઈપ જગતના બીજા જીવોનાં દુઃખો હઠે કે તેઓ પણ આમોદ-પ્રમોદ નિબંધ સુખના અનુભવરૂપે કરી શકે તેનો વિચાર ન કરીએ તો તે કેટલી બધી મુદ્રતા કહેવાય ? કેટલું સ્વાર્થીપણું ગણાય? શ્રી નવકારનો આરાધક સ્વાર્થીન જ હોય, જગતના સર્વજીવો આપણા જેવી જ સુખ મેળવવાની, દુ:ખ હઠાવવાની ઈચ્છા ધરાવે છે. તો તેઓની ઈચ્છાને માન આપી યથાયોગ્ય પ્રવૃત્તિ-ભાવના કરવાના બદલે માત્ર પોતાના જ સુખનો વિચાર એ શ્રી નવકારના આરાધકને શોભે નહીં. હવે જગતના બીજા જીવો ચાર પ્રકારના. (૧) પોતાના ઉપર ઉપકાર કરનારા (સૌથી થોડા) (ર) પોતાનાં સગાંવહાલાં (એથી વધારે) (૩) પોતાના પરિચિતો (એથી પણ વધારે) (૪) પોતાના અપરિચિતો સૌથી વધુ) (૧) જે પોતાના ઉપકારીઓના હિતની ચિંતા ન કરે તે કૃતન ગણાય. (૨) જે પોતાના સ્વજનોની હિત-ચિંતા નથી કરતો તે પણ ગણાય. (૩) જે પરિચિતોના હિતની ચિંતા નથી કરતો તે સ્વાર્થી ગણાય. (૪) જે દુનિયાના જીવોની હિતચિંતા નથી કરતો તે એકલપેટો ગણાય. વિશ્વના પ્રાણીમાત્રના હિતના વિચારનું બહુ મહત્ત્વ છે, કેમ કે પોતાના ઉપકારીઓ, સ્વજનો અને પરિચિતોનાં હિતનો વિચાર વ્યવહારદષ્ટિથી પણ થઈ શકે છે. પણ સંસારના નાના-મોટા પ્રાણીમાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy