________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા
ઉદારતા - દાન – દયા - દાક્ષિણ્ય - કરુણા – પરોપકાર આદિ ગુણો સ્વત: વિકસવા માંડે, આમ છતાં મનમાં એમ રહે કે મેં મારી ફરજનું માત્ર પાલન કર્યું છે. આમાં નવાઈનું શું કર્યું?
માનવ એ જગતના સર્વ પ્રાણીઓમાં ઉત્તમ એટલે મોટો ભાઈ ગણાય.
જગતના સર્વ પ્રાણીઓ નાના ભાઈ તુલ્ય છે તો કુટુંબના વડા તરીકે નાનાઓ તરફ સદ્વર્તન કરનાર મોટા ભાઈ કે વડીલ કંઈ વધુ કરે છે તેમ નથી. માત્ર પોતાની ફરજનું પાલન કરે છે. આ રીતે દાન – દયા – આદિ કરવા છતાં આપણામાં અહંભાવ ન વધે.
આ રીતે સર્વજીવોનાં સુખ – દુઃખનો વિચાર મૈત્રી ભાવનાના પાયા તરીકે સમજી વિચારી શ્રી નવકારના જાપની સાથે જીવનના ઘડતર માટે જરૂરી પાયાની બાબત તરીકે મૈત્રી -- પ્રમોદ – કરુણા - માધ્યસ્થ – ગુણને વિકસાવવા જરૂર પ્રયત્નશીલ થવું. આજથી નીચેનું ગીત રોજ સવાર સાંજ બોલવું. ગુરુ – શનિએ સામૂહિક જરૂર બોલવું.
“મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે ! શુભ થાઓ આ સકલ વિશ્વનું,
એવી ભાવના નિત્ય રહે છે ગુણથી ભરેલા ગુણીજન દેખી,
હૈયું મારું નૃત્ય કરે ! એ સંતોના ચરણ કમળમાં,
મુજ જીવનનું અર્થ રહે છે. દિન કૂર ને ધર્મ વિહોણા,
દેખી દિલમાં દર્દ રહે. કરુણાભીની આંખોમાંથી,
અથુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું ! કરે ઉપેક્ષા એ મારગની,
તો યે સમતા ચિત્ત ધરું !' ઉપર પ્રમાણેની ભાવનાઓને હૈયામાં ઘૂંટવી, જેથી આપણામાંથી સ્વાર્થવૃત્તિ – દોષવૃત્તિ, ટીકા કરવાની વૃત્તિ, કઠોરતા આદિ દુવૃત્તિઓ વિદાય થાય.
શ્રી નવકાર મહામંત્રની આરાધનાના પાયામાં સ્વાર્થવૃત્તિનો વિલય અને કરુણાભાવના વિકાસની જરૂર છે. તે પ્રમાણે યોગ્ય પ્રયત્ન કરતા રહેશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org