SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા બીજા જીવોનાં સુખદુ:ખનો વિચાર આપણા જીવનને વિવેકસભર બનાવે છે. સર્વ-જીવોને સુખ-શાંતિ મળો એ વિચાર જ મૈત્રી ભાવનો પાયો છે. તેના ગર્ભમાં કરુણા પણ આવી જાય છે. વળી પ્રમોદભાવ આપણા જીવને ટાઢક પણ ધીમે ધીમે કેળવાય છે. આ રીતે આરાધનાના મૂળ ૪ સ્તંભ મૈત્રી - પ્રમોદ - કરુણા સુખશાંતિના વિચારોમાંથી આપણામાં સ્થિર થવા પામે છે. = છેલ્લે માધ્યસ્થ ભાવ = દુનિયાના જીવો છતે સાધને વિકાસની ભૂમિકાનો લાભ લઈ ન શકે તો કરુણાના પાયા ઉપર આપણી ઉદાસીનતાનો વિકાસ માધ્યસ્થભાવમાં પલટે છે. માધ્યસ્થ બીજા જીવોનાં આ મૈગ્યાદિ ૪ ભાવનાની દૃઢતા ઉપર જ આપણું જીવન આરાધનાના પ્રતાપે ખૂબ નિર્ભર - - સ્વસ્થ બને છે. શાંત છીએ. ૭ બીજાને મળતી સુખશાંતિથી માત્ર પોતાનાં સુખ - દુ:ખના વિચારોની અટવામણ આપણા વિચારો – ભાવનાઓમાં તીવ્ર સંકલેશ ઉપાવે છે. ખરેખર તો આપણી જાતનો જ માત્ર વિચાર તીવ્ર મોહનો ઉદય સૂચવે છે. વ્યવહારમાં પણ એકલપેટો માત્ર પોતાની ગરજે નમનારો માણસ સ્વાર્થી અને હલકો મનાય છે. તો શ્રી નવકાર મહામંત્રની આરાધનાના પંથે ચાલતાં જો આપણી અંતરની દૃષ્ટિ ખૂલે તો આપણા જેવા જગતના અનેક જીવો દુ:ખી છે. તેઓના દુ:ખ-વિલયનો વિચાર હકીકતમાં આપણી મોહવાસિત ચિત્તની ભૂમિકાને સ્વચ્છ કરે છે. પરિણામે જગતના જીવો અને આપણે જુદા નથી. દેખાવમાં જુદા છતાં આપણે બધા એકરૂપ માટીના વાસણ નાનાં મોટાં ઘડો-કોઠી-પવાલી-ઢાંકણા-કોડિયાં - છીપા - આદિ દેખાવમાં જુદા છતાં બધાં માટીરૂપે એક જ છે. તે રીતે આપણે દેખાવમાં શરીર નાના-મોટા કે જુદી જાતના ઘાટથી જુદા દેખાઇએ પણ આપણો આત્મા તો બધામાં એક સરખો છે. Jain Education International તો આપણે બીજાનો વિચાર ન કરીએ, માત્ર આપણાં જ સુખ - દુ:ખનો વિચાર કરીએ તો કેટલી બધી ક્ષુદ્રતા ગણાય ! For Private & Personal Use Only શ્રી નવકારનો આરાધક કેવો ઉદાર હોય! દુનિયામાં પણ જે કુટુંબના નાના-મોટા લાભ દરેક તરફ તેમજ – નાનાના મોટા તરફ, વળી દેશના નાના મોટા સહુ તરફ પોતાની ફરજરૂપે સર્તન કરે તો કેટલો - ઉદાત્ત જીવનવાળો કહેવાય. તે રીતે વિશ્વના નાના-મોટા સઘળા જીવો પ્રતિ આપણે ઉદાર દૃષ્ટિબિંદુ કેળવીએ તો આપણામાં www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy