SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને જેવી સુખની ઇચ્છા છે તેવી જગતના નાના મોટા સહુની છે. તો આપણી ફરજ એ થઈ પડી કે જગતના સર્વજીવો સુખી થાઓ. સૌ દુ:ખમાંથી મુકત થાઓ. એ જાતની ભાવનાનાં બીજ આપણા અંતરમાં વાવવાં જરૂરી છે. મને મારા સુખપ્રાપ્તિના મોહમાં બીજાની પીડા - દુ:ખની અવગણના એ મોટામાં મોટો દુર્ગુણ ગણાય. એ દુર્ગુણને ખસેડવા પ્રયત્ન કરવો એ આરાધક આત્માની પવિત્ર ફરજ છે. פד સાગર જૈન ઉપાશ્રય, પાટણ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા F પોતાનાં સુખશાંતિનો વિચાર આત્મવિકાસને અવરોધે છે. કેમ કે સ્વ-કેન્દ્રિય વિચારો મોટે ભાગે પારકાની પરિસ્થિતિનો અભ્યાસ નથી કરવા દેતા. તેથી લગભગ પરદ્રોહ, બીજાને થતા નુકસાનની બેદરકારી અને બીજાની અપેક્ષાઓનું વિસ્મરણ થવા પામે છે. Jain Education International ૭-૪-૮૩, દ્વિ ફા॰ વ ૧૦ પ્રથમ આરાધનાના પંથે ડગલાં ભરવા માટે જગતના સર્વજીવોમાં ચૈતન્ય છે તે વાતની પ્રતીતિ પાકી કરી જેમ મને સુખ પસંદ છે - દુ:ખ ના- પસંદ છે તેવું જગતના સર્વજીવોને હોય તો મારી પોતાની પ્રવૃત્તિથી - વાણી કે વિચારોથી કોઈ પણ જીવની લાગણી દુભાય કે અનર્થ થાય તેવું મારે ન કરવું. આ વિચાર આરાધનાનો પ્રાથમિક પાયો છે. વળી સુખ-શાંતિ મેળવવાના વિચારોમાં સ્વ-કેન્દ્રિય ન બનવું જરૂરી છે. સ્વ-કેંદ્રિય બનવાથી પારકા જીવો પ્રતિ આપણી જવાબદારી ભુલાઈ જાય છે. માટે સુખ-શાંતિ જીવમાત્રને મળો એ વિચાર સતત કેળવવો. For Private & Personal Use Only બીજાને કસ્તૂરી – અત્તર આપવા જનારની પોતાની જાત સુગંધમય બની જ જાય છે. સર્વજીવોનાં સુખશાંતિના વિચારથી આપણા આંતર મન પરના મોહનાં આવરણોનો ક્ષય થવાથી આપણને તો સુખશાંતિ મળે જ છે. જ www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy