________________
આપણને જેવી સુખની ઇચ્છા છે તેવી જગતના નાના મોટા સહુની છે. તો આપણી ફરજ એ થઈ પડી કે જગતના સર્વજીવો સુખી થાઓ. સૌ દુ:ખમાંથી મુકત થાઓ. એ જાતની ભાવનાનાં બીજ આપણા અંતરમાં વાવવાં જરૂરી છે.
મને મારા સુખપ્રાપ્તિના મોહમાં બીજાની પીડા - દુ:ખની અવગણના એ મોટામાં મોટો દુર્ગુણ ગણાય. એ દુર્ગુણને ખસેડવા પ્રયત્ન કરવો એ આરાધક આત્માની પવિત્ર ફરજ છે.
פד
સાગર જૈન ઉપાશ્રય, પાટણ
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
F
પોતાનાં સુખશાંતિનો વિચાર આત્મવિકાસને અવરોધે છે.
કેમ કે સ્વ-કેન્દ્રિય વિચારો મોટે ભાગે પારકાની પરિસ્થિતિનો અભ્યાસ નથી કરવા દેતા. તેથી લગભગ પરદ્રોહ, બીજાને થતા નુકસાનની બેદરકારી અને બીજાની અપેક્ષાઓનું વિસ્મરણ થવા પામે છે.
Jain Education International
૭-૪-૮૩, દ્વિ ફા॰ વ ૧૦ પ્રથમ
આરાધનાના પંથે ડગલાં ભરવા માટે જગતના સર્વજીવોમાં ચૈતન્ય છે તે વાતની પ્રતીતિ પાકી કરી જેમ મને સુખ પસંદ છે - દુ:ખ ના- પસંદ છે તેવું જગતના સર્વજીવોને હોય તો મારી પોતાની પ્રવૃત્તિથી - વાણી કે વિચારોથી કોઈ પણ જીવની લાગણી દુભાય કે અનર્થ થાય તેવું મારે ન કરવું. આ વિચાર આરાધનાનો પ્રાથમિક પાયો છે. વળી સુખ-શાંતિ મેળવવાના વિચારોમાં સ્વ-કેન્દ્રિય ન બનવું જરૂરી છે.
સ્વ-કેંદ્રિય બનવાથી પારકા જીવો પ્રતિ આપણી જવાબદારી ભુલાઈ જાય છે. માટે સુખ-શાંતિ જીવમાત્રને મળો એ વિચાર સતત કેળવવો.
For Private & Personal Use Only
બીજાને કસ્તૂરી – અત્તર આપવા જનારની પોતાની જાત સુગંધમય બની જ જાય છે.
સર્વજીવોનાં સુખશાંતિના વિચારથી આપણા આંતર મન પરના મોહનાં આવરણોનો ક્ષય થવાથી આપણને તો સુખશાંતિ મળે જ છે.
જ
www.jainelibrary.org