________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
ટ્વી
દેવગુરુકૃપાએ સુખશાંતિ છે.
શ્રી નવકારની આરાધનાના પંથે ચાલનારાએ મનની ભૂમિકામાં પડેલ સ્વ-કેન્દ્રિય ભાવનાઓ હઠાવવી જોઈએ.
૫-૪-૮૩, ક્રિ ક્ા ૧ ૮ વર્ષીતપ પ્રારંભ
મને સુખ મળો, મને સારી સામગ્રી મળો, આ જાતના વિચારો આરાધનાને ડોળી નાંખે છે. ઇચ્છા જીવમાત્રને હોય છે.
પ્રત્યેકના હૃદયમાં કોઈને કોઈ ઇચ્છા હોય જ, પણ બધી ઇચ્છાઓનો સરવાળો એ થાય છે કે, “મને પોતાને જરા પણ દુ:ખ ન આવો અને જગતની બધી જાતની સુખની સામગ્રી મને મળો’’ કહી આપણે નજર સામે રહેલ બીજાના દુ:ખનો વિચાર નથી કરતા, અગર સારી ચીજ મળે તેમાં બીજાને સહભાગી બનાવવા વિચારતા નથી.
આ ખરેખર સ્વ-કેન્દ્રિય ભાવનાઓ આપણી આરાધનાને વિકસવા દેતી નથી. ‘‘મારું દુ:ખ દૂર થાય અને સુખ મને મળે' આ ઇચ્છા હીન=નિકૃષ્ટ કોટિની ઇચ્છા કહેવાય. આમાં માત્ર આપણે આપણી જાતનો જ વિચાર કર્યો.
આપણી જાત એટલે શરીર ઇન્દ્રિય – મન - બુદ્ધિ આ ચોકઠામાં રહીને સુખ મેળવવાની વાત, દુ:ખને ટાળવાની વાત સ્વ કેન્દ્રિય કક્ષા તરફ ખેંચી જાય છે. આનું દુ:ખદ પરિણામ એ આવે છે કે, બીજાં દુ:ખી જીવો પ્રતિ હમદર્દી-કરુણા કેળવી શકાતાં નથી.
કયારેક આપણને મળતાં સુખની કલ્પનામાં કે આવેલ દુ:ખને કાઢવાની ઘેલછામાં બીજા જીવો તરફ નિન્નુર વ્યવહાર પણ કરવા તૈયાર થઈ જઈએ છીએ. પરિણામ એ આવે છે કે જગતના અન્ય જીવો સાથે આપણે જે સાહજિક સંબંધ છે, જેનાથી મૈત્રીભાવ પ્રગટે છે, તેની કેળવણી કરી શકતા નથી, માટે આરાધકે સ્વ-કેન્દ્રિય ભાવનાઓને હઠાવવા વિવેકપૂર્વક પ્રયત્ન કરવો ઘટે.
Jain Education International
જીવ-આત્મા જેવો આપણો છે તેવો જ જગતના નાના-મોટા સર્વ જીવોનો છે. ચૈતન્ય દરેકમાં એક સરખું છે. તેથી સુખનો રાગ, દુ:ખનો દ્વેષ જગતના સર્વ જીવોને સંભવિત છે. બીજાની જરૂરિયાતો અને મુશ્કેલીઓનો વિચાર ન કરી શકીએ તો માણસાઈ કયાં રહી ?
For Private & Personal Use Only
www.jainelibrary.org