SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૧. મામિ = શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ (સચૂલિક) ૨. સૈદ્ધાંન્તિ = શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર ૩. વ્યાવહારિ = શ્રી નમસ્કાર મહામંત્ર ४. रूढ = શ્રી નવકાર ૫. શ્રી નમસ્કાર મહામંત્રમાં આત્મશુદ્ધિ માટે વિશિષ્ટ પ્રબળ આલંબનરૂપ પાંચ પરમેષ્ઠિઓ છે, કે જે આપણા આત્માની જ જુદી જુદી વિશુદ્ધ અવસ્થાઓ છે. ૬. શ્રી નવકાર મહામંત્રથી છ કાયમાં રખડવાનું મટી જાય છે. કેમ કે છ કાયની જયણા પંચપરમેષ્ઠીની આજ્ઞાના ફળરૂપે જીવનમાં પરિણત થાય તો ભવભ્રમણ ટળે. કહ્યું છે કે, છ કાયમાંથી જીવ આવીયો, છ કાયમાં જાય ! જે છ કાયની જયણા કરે, તો છ કાયમાં ન જાય !” છે. શ્રી નવકાર મહામંત્રમાં ૭ ગુરુઅક્ષરો છે એટલે કે જેડાક્ષરો સાત છે. (૧) 1 (પદ.૨), (૨) 1 (પદ.૪), (૩) કa (પદ.૫), (૪) વા (પદ. ૬), (૫) હa (પદ.૭), (૬) U (પદ.૭), (૭) વે (પદ.૮). આ અક્ષરોના સ્પષ્ટ ઉચ્ચારથી દિવ્ય શક્તિ આત્મામાં અવતરિત થાય છે. માટે આ અક્ષરોને ગુરુ=પૂજ્ય કહ્યા છે. ઉચ્ચારશુદ્ધિથી મનનું ચૈતન્ય વિકસે છે. ૮. શ્રી નમસ્કાર મહામંત્રમાં ૮ સંપદા છે. સંપદા એટલે વિરામસ્થાન મંત્રની ઉચ્ચારપદ્ધતિ આપણા આત્મામાં દિવ્ય આંદોલનો જન્માવે છે. (રૂબરૂમાં સમજાવીશ કે શી રીતે શ્રી નવકાર સંપદા ક્રમે વાંચવો.) સંગીતના સૂરોની સાધના ન કરી હોય, પેટીની સરગમ કે તબલાના બોલ ન જાણ્યા હોય તો આશાવરી – માલકોશ - ભૈરવી – ભીમપલાશ આદિ રાગોનાં સ્તવનો માત્ર વાંચી જવાથી દિવ્ય સંગીતનું વાતાવરણ ખડું ન થાય. તેથી આંતરિક આત્મામાં દિવ્ય વાતાવરણ કે જેથી કર્મોનાં વિષમ બંધનો - વિકારી ભાવોની અસરો તૂટી જાય, ભૂંસાઈ જાય તેવી અસર ઉપજાવવા ૮ સંપદાના ક્રમથી શ્રી નવકાર બોલતાં શીખવો જરૂરી છે. (જે રૂબરૂ સમજાવી શકાશે.) ૯. શ્રી નવકાર મહામંત્રનાં પદો ૯ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy