________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૧. મામિ = શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ (સચૂલિક) ૨. સૈદ્ધાંન્તિ = શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર ૩. વ્યાવહારિ = શ્રી નમસ્કાર મહામંત્ર
४. रूढ = શ્રી નવકાર ૫. શ્રી નમસ્કાર મહામંત્રમાં આત્મશુદ્ધિ માટે વિશિષ્ટ પ્રબળ આલંબનરૂપ પાંચ પરમેષ્ઠિઓ છે, કે
જે આપણા આત્માની જ જુદી જુદી વિશુદ્ધ અવસ્થાઓ છે. ૬. શ્રી નવકાર મહામંત્રથી છ કાયમાં રખડવાનું મટી જાય છે.
કેમ કે છ કાયની જયણા પંચપરમેષ્ઠીની આજ્ઞાના ફળરૂપે જીવનમાં પરિણત થાય તો ભવભ્રમણ ટળે. કહ્યું છે કે,
છ કાયમાંથી જીવ આવીયો,
છ કાયમાં જાય ! જે છ કાયની જયણા કરે,
તો છ કાયમાં ન જાય !” છે. શ્રી નવકાર મહામંત્રમાં ૭ ગુરુઅક્ષરો છે એટલે કે જેડાક્ષરો સાત છે.
(૧) 1 (પદ.૨), (૨) 1 (પદ.૪), (૩) કa (પદ.૫), (૪) વા (પદ. ૬), (૫) હa (પદ.૭), (૬) U (પદ.૭), (૭) વે (પદ.૮).
આ અક્ષરોના સ્પષ્ટ ઉચ્ચારથી દિવ્ય શક્તિ આત્મામાં અવતરિત થાય છે. માટે આ અક્ષરોને ગુરુ=પૂજ્ય કહ્યા છે. ઉચ્ચારશુદ્ધિથી મનનું ચૈતન્ય વિકસે છે. ૮. શ્રી નમસ્કાર મહામંત્રમાં ૮ સંપદા છે.
સંપદા એટલે વિરામસ્થાન મંત્રની ઉચ્ચારપદ્ધતિ આપણા આત્મામાં દિવ્ય આંદોલનો જન્માવે છે. (રૂબરૂમાં સમજાવીશ કે શી રીતે શ્રી નવકાર સંપદા ક્રમે વાંચવો.)
સંગીતના સૂરોની સાધના ન કરી હોય, પેટીની સરગમ કે તબલાના બોલ ન જાણ્યા હોય તો આશાવરી – માલકોશ - ભૈરવી – ભીમપલાશ આદિ રાગોનાં સ્તવનો માત્ર વાંચી જવાથી દિવ્ય સંગીતનું વાતાવરણ ખડું ન થાય.
તેથી આંતરિક આત્મામાં દિવ્ય વાતાવરણ કે જેથી કર્મોનાં વિષમ બંધનો - વિકારી ભાવોની અસરો તૂટી જાય, ભૂંસાઈ જાય તેવી અસર ઉપજાવવા ૮ સંપદાના ક્રમથી શ્રી નવકાર બોલતાં
શીખવો જરૂરી છે. (જે રૂબરૂ સમજાવી શકાશે.) ૯. શ્રી નવકાર મહામંત્રનાં પદો ૯ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org