SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા આ પત્રમાળાનો પ્રારંભ આજે ફરીથી શ્રી નવકાર અને ગુરુચરણોનું સ્મરણ કરી શરૂ કરું છું. તમે દર ગુર- શનિવારે આ પત્ર સાથે વાંચશો. મગજમાં ગોઠવશો. ૧. “શ્રી નવકાર કેશરી સિંહ જેની હૃદય ગુફામાં ત્યાં શી મજાલ વિકાર શિયાળોની ?” ૨. વળી શ્રી નવકાર મહામંત્રમાં બે વિભાગ છે. ૧લો વિભાગ પાંચ પદનો. બીજો વિભાગ છેલ્લા ૪ પદની ચૂલિકાનો. શરૂના પાંચ પદો દરેક સ્વતંત્ર રીતે આત્મશુદ્ધિ માટે ઉપયોગી પાંચ તત્વોનો પરિચય આપે છે. જ્યારે બીજા વિભાગમાં ૪ પદોની સંયુકત ચૂલિકારૂપે શ્રી નવકાર મહામંત્રનો આત્મા દર્શાવ્યો છે. આ પાંચ પરમેષ્ઠીને કરાયેલ નમસ્કારથી સર્વ પાપકર્મ= મોહનીય આદિ ઘાતી કર્મના ક્ષયની વાત મગજમાં સ્થિર થાય તો ઓળખ્યો ગણાય. વળી સર્વમંગલમાં શ્રેષ્ઠ – મંગળ આ નવકાર જ છે. શ્રી નવકાર વિના દુનિયાના શ્રેષ્ઠ મનાતા મન્ચાક્ષરો પણ ઈષ્ટ સિદ્ધિ આપતા નથી. આવો દઢ વિશ્વાસ તે જ ખરેખર શ્રી નવકારનો આત્મા છે. ૩. શ્રી નવકારમાં ત્રણ તત્વ છે. પ્રથમ બે પદમાં દેવતત્ત્વ પછી ત્રણ પદમાં ગુરુતત્ત્વ છેલ્લા ચાર પદમાં ધર્મતત્ત્વ છે. કર્મ ક્ષયની વાત અને આ પાંચ પરમેષ્ઠીની આરાધના સર્વોત્કૃષ્ટ છે. એવો વિશ્વાસ એ ખરેખર ધર્મ છે. ૪. શ્રી નવકાર મહામંત્રનાં ૪ નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy