________________
શ્રે જમસ્કાર મહામંત્ર તત્યચંદ્રકા
પૂજ્ય પં. શ્રી અભયસાગરજી મ. સા.ની ટૂંકી જીવન નોંધ
૧. જન્મસ્થળ : ઉનાવા (તાલુકો-ઊંઝા, જિલ્લો-મહેસાણા) ૨. જન્મતિથિ : વિ. સં. ૧૯૮૧, જેઠ વદ ૧૧. ૩. જન્મ નામ : અમૃતકુમાર ૪. પિતાશ્રીનું નામ : મૂળચંદભાઈ (પૂ ઉપાશ્રી ધર્મસાગરજી મ. સા.) ૫. માતૃશ્રીનું નામ : મણીબેન (પૂસાશ્રી સદ્દગુણાશ્રીજી મ. સા.) ૬. બંધુનું નામ : મોતીલાલ (પૂ. મુનિરાજ શ્રી મહોદયસાગરજી મ. સા.) ૭. બહેનનું નામ : સવિતાબેન (પૂ. સા. શ્રી સુલભાશ્રીજી મ. સા.) ૮. દીક્ષાભૂમિ : શ્રી શંખેશ્વરજી તીર્થે, ભમતીમાં શ્રી નેમિનાથ પ્રભુજી સન્મુખ. ૯. દીક્ષા તિથિ : વિ. સં. ૧૯૮૮. માગ વદ ૧૧, પ્રાત:કાળે કાા વર્ષની વયે. ૧૦. દીક્ષાગુરુ : પૂ ઉપા. શ્રી ધર્મસાગરજી મ. સા. ૧૧. દીક્ષા દાતા : આગમોદ્ધારક આ દેવ શ્રી આનંદસૂરીશ્વરજી મ. સા. તથા પૂ.
દાદાગુરુ શ્રી ચન્દ્રસાગરજી મ. સા. આદિ. ૧૨. વડી દીક્ષા : વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ ૫. ૧૩. વડી દીક્ષાભૂમિ : અમદાવાદ વિદ્યાશાળા, પૂ આ શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ. સા.
(બાપજી મ. સા.)ની નિશ્રામાં. ૧૪. ગણિપદ તિથિ વિ. સં. ૨૦૧૧, જેઠ વદ ૧૧. ૧૫. ગણિપદ સ્થળનિશ્રા : કપડવંજ (પૂ. ગચ્છાધિપતિ માણિકયસાગર- સૂરીશ્વરજી મ. સા.
તથા પૂ ઉપા. શ્રીધર્મસાગરજી મ. સા.ની નિશ્રામાં) ૧૬. પંન્યાસપદ તિથિ: વિસં. ૨૦૨૯, મહા સુદ ત્રીજ.
સ્થળ-નિશ્રા : અમદાવાદ, નરોડા, પૂ. ઉપાડ શ્રી ધર્મસાગરજી મ. સા.ની નિશ્રાએ. ૧૭. આગમવાચના : (૧) વેજલપુર, પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મ. સા. આદિની
નિશ્રામાં ખૂબ પ્રભાવશાળી થયેલ. (૨) અમદાવાદ, ઉજમફઈની ધર્મશાળા તથા જૈન મરચંટમાં અનેક
પદસ્થો તથા મુનિવરોની હાજરીમાં થયેલ, જેનાથી પ્રભાવિત થયેલ હીરાભાઈ આદિ સુશ્રાવકો સંયમ જીવનના સુંદર આરાધક બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org