________________
P
8 જમસ્કાર મહામંત્ર તત્વપ્રિમ
આમ બાહ્ય વ્યાવહારિક જીવનમાં અનેક વ્યકિતઓ તેમના પરિચયમાં આવી પણ તેમની દિવ્યતાના અંશનો અંશ જ અનુભવી સમજી શકી કે માણી શકી છે.
પૂ. ગુરુદેવશ્રીમાં વ્યવહાર તથા નિશ્ચયની સમજણ ખૂબ અનેરી હતી. કઈ અપેક્ષાએ કઈ વસ્તુ કહેવાઈ છે કે કઈ અપેક્ષાએ કઈ વસ્તુમાં પ્રાધાન્ય તેની તેમને સમજણ અસાધારણ હતી.
અનેકોના ભવોદ્ધારક તરણતારણહાર કરુણા અને વાત્સલ્યના વરસતા ધોધ સમાન પૂ. ગુરુદેવમાં જ્ઞાન છતાં સરળતા હતી, પરમ વિદ્વત્તા છતાં નિરભિમાનપણું અને તેમનું વ્યક્તિત્વ વિનય-વિવેકના અદ્ભુત મિશ્રણવાળું હતું. આટઆટલી આંતરિક શકિત અને બાહ્ય વિશેષતાઓ હોવા છતાં તેને ગંભીરતાથી પચાવી પારો પચાવવા કરતાં પણ અઘરું કામ તેમણે ખૂબ સાહજિકતાથી સિદ્ધ કર્યું.
જે કાંઈ તેમના દ્વારા થઈ રહ્યું છે તેમાં તેઓ નિમિત્તરૂપ છે અને તે બધી કૃપા દેવગુરુની અને શ્રી નવકારની છે તેવું સતત તેઓશ્રી કહેતા.
આટલું બધું હોવા છતાં પણ પોતાના ચારિત્રમાં દોષ ન પ્રવેશે અને નાની ભૂલ હોય તો તે તેના પ્રત્યે ઉપેક્ષાના બદલે ફરીથી ન થાય તેના માટે સતત જાગ્રત રહેતા. જે એ બતાવે છે કે પોતાની જાતની ગુરુતા કયારેય સમજેલ નહીં, માનેલ નહીં.
આવી પ્રતિભાશાળી વ્યક્તિને અનેક લોકોએ આચાર્યપદવી માટે ઘણા બધા પ્રસંગોએ જુદી જુદી રીતે દબાણ કર્યું છતાં પણ તેઓ પદવીના મોહથી પર રહ્યા અને દબાણનો હસતાં હસતાં પ્રતિભાવ આપતા અથવા મૌન ધારણ કરતા. આ જમાનામાં આવા નિર્લેપ પૂ ઉપાય જી મ. સા. પૂપં. ભદ્રંકર વિ. જી મ. સા. તથા પૂગુરુદેવ શ્રી જેવા અપવાદ રૂપ મળે.
આગમજ્ઞાનના અથ પૂ. ગુરુદેવશ્રીએ ભગવંતો આગમજ્ઞાન મેળવવા માટેની અનુજ્ઞા રૂપે ગણિપદવી, પંન્યાસપદવી કોઈ પણ જાતની ધામધૂમ વગર (સાદાઈથી) સ્વીકારી.
અંતે એક વાત - આજના કાળના ઘણા બુદ્ધિજીવી જીવોની બૌદ્ધિક પ્રતિભા પૂ. શ્રીની તોલે આવે તેમ નથી. એ અનુભવ ગોચર હકીકતથી એમ નિર્ણય કરી શકાય કે પરમ બૌદ્ધિક પ્રતિભાશાળી પૂશ્રી શ્રી નવકાર આદિનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું તે ચરણોમાં શીશ ઝુકાવવામાં આપણું પણ પરમહિત છે.
પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનનું દર્શન કરાવવાનું અનાયાસે જે સદ્ભાગ્ય સાંપડ્યું છે એનો ખૂબ આનંદ છે. પૂજ્યશ્રીના જીવન પર “પૂજ્ય ગુરુદેવશ્રી” નામનું પુસ્તક પૂજ્યશ્રીના પ્રશિષ્ય ૫૦ પૂ. ૫. હેમચંદ્ર સામસા. એ છપાવેલ છે.
- પૂજ્ય ગુરુદેવ ગુણોની ગંગા હતા. જ્યારે કેમ વરસ્યા એનો ખ્યાલ આવતાં ખૂબ ગદ્ગદિત થઈ જવાય છે અને પૂજ્યશ્રીની અપેક્ષા મુજબની પાત્રતા વિકસે એવી એમને પ્રાર્થના કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org