SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમસ્કાર મહામંત્ર તત્પટ્ટિકા ૩૩ હૈયામાં જડબેસલાક બેસી ગઈ હતી. પૂ ઉપાજી મહારાજના કાળધર્મ બાદ પ્રતિક્રમણ કરતાં વચ્ચે તેઓશ્રીનું ખાલી આસન રાખતા અને પોતે વચ્ચે ન બેસતા. વ્યાખ્યાનમાં પણ કયારેય એમને વચ્ચે બેઠેલા જોયા નથી. વડીલ ગુરુ ભગવંત વચ્ચે બેસેલ ના હોય તો વચલી જગ્યા ખાલી રાખતા. એવું જોયું છે કે ઘણી વાર તેમની પાસે શીખવા માટેની ઉત્સુકતા બતાવનારમાં જે શાસ્ત્રીય આચારોમાં નબળાઈ લાગે કે શિથિલાચાર દેખાય તો તેઓશ્રી તે દિશામાં આગળ ન વધતા. પૂજ્યશ્રીને ઘા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેને ચારિત્રજીવન રૂપી શરીરનું અંગ સમજી એક ક્ષણ પણ પોતાનાથી દૂર રાખ્યો નથી. | વિચારતાં એમ લાગતું કે પૂ. ગુરુદેવશ્રીના વિશાળ વ્યકિતત્વને આ પૃથ્વી પર ઓળખનાર ભાગ્યે જ કો'ક હશે. કારણ કે સર્વનો એક સાથે આવો સુભગ સમન્વયનું દર્શન પ્રાય: અશક્ય લાગે છે, કે જ્યાં ચુસ્ત શાસ્ત્રીય મર્યાદા પ્રમાણેની સામાચારી હોય, આત્મતત્ત્વની પ્રતીતિ કરાવી શકે તેવો ઉત્તમ ક્રિયાયોગ હોય. જ્યાં શ્રી નવકારની આરાધનાના આનંદના સાગર ઊભરાતા હોય. આગમોના જ્ઞાનનો પ્રકાશ ઝળહળતો હોય. વિજ્ઞાનની વાતોનું રોજ પૃથકકરણ થતું હોય. યોગશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રના નીત નવાં દ્વાર ખૂલતાં હોય. પ વિશાળ શિષ્યગણના આધ્યાત્મિક ચિંતક હોય.. દૂ મુનિપણાના પરમ સાધક અને પરમ ચિંતક હોય. SF આગમિક ચૂર્ણાઓના સંપાદક હોય, આગમોના રક્ષક હોય, સાથે સાથે ભારતીય સંસ્કૃતિના અભ્યસ્થાપક હોય. આવો સુભગ સમન્વય શ્રી જિનશાસનના અનન્ય શરણાગતમાં જ હોય. ફરમા વર્ષમાં અનેક માણસો અનેક વર્ષોની મહેનત કરીને ના મેળવે એવા ખજાનાઓના ભંડારો સિદ્ધિઓ આ પૂજ્ય ગુરુદેવશ્રીએ મેળવ્યા, તેમના ખજાનાઓના સાગરનો તાગ વર્ષો સુધી નિકટવર્તી સાધુઓ અને શ્રાવકો બધા જ ભેગા મળીને કરે તો પણ તેનો છેડો આવી શકે તેમ નથી. વડનગરના ડૉ. પી. જી. પટેલે Ph.D. પૂ. ગુરુદેવશ્રીના જીવન અંગે એક સુંદર રૂપક રજૂ કરેલા કે એક મોટો મહેલ છે, જેની આજુબાજુએ દીવાલો છે. વચ્ચે કયાંક કયાંક ઝીણાં બાકોરાં છે, જુદી જુદી જગ્યાએથી જુદા જુદા લોકો તે મહેલમાં જોવા માટે પ્રયત્ન કરે છે અને મહેલમાં જુદી જુદી જગ્યાએ માણેક, હીરા, રત્નો, સોનું, ચાંદી, નીલમ, મણિ આવેલાં છે. જે કો'ક રત્નનો પ્રકાશ જોઈને એમ માને છે કે તેને મહેલમાંની વસ્તુઓનું સંપૂર્ણ દર્શન થયું છે, કે જેમાં ઝળહળતાં રત્નો છે. બીજી વ્યક્તિ હીરા-પન્ના નિહાળીને એમ માને છે કે, અલભ્ય હીરા અને પના જ આ મહેલમાં ભરેલા છે. ત્રીજી વ્યક્તિ કયારેય ના જોયેલ નીલમ જોઈને એમ માને છે કે મહેલમાં શું નીલમો છે !! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy