SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ક્રિયાયોગ પૂ ગુરુદેવશ્રીનું સાધુ-સામાચારીનું જીવન ખૂબ ઉદાહરણ રૂપ હતું. તેઓશ્રી બ્રહ્મચર્યની નવ વાડના ચુસ્ત આગ્રહી હતા. પોતે જ્યાં ઉપાશ્રયમાં રહેતા ત્યાં તેમનું સ્થાન છેક આગળ રાખતા. અને અન્ય સાધુ-ભગવંતોનો મુકામ અંદર રહેતો. અન્ય સાધુ પાસે કોણ આવે છે ? કોણ બેસે છે તેનો તેમને હંમેશાં ખ્યાલ રહેતો. સાધુઓની પ્રવૃત્તિ ઉપર તેમની નજર રહેતી. તેમની પાટ ઓળંગીને આગળ જવાની હિંમત લગભગ કોઈ ‘ન’ જ કરતું. એટલે કે સાધુને પ્રમાદ, વાતોનાં ગપ્પાં મારવાં કે વિકથાનું વાતાવરણ ત્યાં ‘ન’ રહેતું. પૂરૂં સાધ્વીજી ભગવંત કે કોઈ શ્રાવિકા તે ઉબરાની અંદરના ભાગમાં દાખલ થઈ શકતાં નહિ. શ્રીં નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પૂજ્યશ્રી કહેતા કે શ્રાવિકાઓ-સ્ત્રીઓ રહેતી હોય ત્યાં સાધુ ના રહી શકે. પાલનપુરના ચોમાસામાં પ્રવેશ વખતે પૂજ્યશ્રીને પ્રથમ માળે ઉતારવાનું નકકી થયું જેથી હવા ઉજાશ સારા રહે. એક-બે દિવસમાં પૂજ્યશ્રીને લાગ્યું કે ઉપાશ્રયની બારીઓમાંથી શ્રાવકોના ઘરમાં સીધી જ દૃષ્ટિ પડે છે તેથી તુરત જ પોતાના સાધુઓને લઈને નીચે આવ્યા. ફકત વ્યાખ્યાનાદિ વખતે જ ઉપર જતાં. સાધ્વીજી મ કે શ્રાવિકાઓને ફકત વ્યાખ્યાનના સમયમાં જ ઉપાશ્રયમાં આવવાની છૂટ રહેતી. ગમે તે સમયે સાધ્વીજી ભગવંત ઉપાશ્રયમાં આવતાં ડેરે ને ખચકાય, અલબત્ત હિંમત ‘જ’ ‘ન' કરે. આર્યપરંપરાના એવા ચુસ્ત આગ્રહી કે સ્ત્રીની વેશભૂષા જો આર્યપરંપરાને અનુકૂળ ‘ન’ હોય તો વાસક્ષેપ ‘ન’ નાંખતા. અને આવી વેશભૂષાવાળી વ્યકિતને ઉપાશ્રયમાં આવતાં અટકાવતા. - કોઈ પણ સમુદાયનાં સાધ્વીજી સવારમાં પ ૬ વાગ્યામાં સાધુ ભગવંતો, વંદનાર્થે આવે ત્યારે પૂ ગુરુદેવશ્રી ખૂબ જ કડક ભાષામાં તેઓને સમજાવતા કે “આ સાધુ સામાચારીને અનુરૂપ નથી'' પડિલેહણની ક્રિયા પોહ ફાટ્યા પછી જ કરાવતા, અને વહેલું પડિલેહણ ‘ન’ થાય માટે પ્રતિક્રમણ તે રીતે જ કરાવતા. પોહ ફાટ્યો લાગે પછી જ પડિલેહણની ક્રિયા શરૂ થતી અને એ પછી જ તેઓશ્રી વિહાર કરતા. સાંજે પણ સૂર્યાસ્ત પહેલાં જ સ્થાનમાં પહોંચી જવા આગ્રહ રાખતા અથવા અનિશ્ચિત સ્થાનમાં રોકાઈ પણ જતા. સેવા - વૈયાવચ્ચ આદિ ગુણોથી તેમના જીવનનું ઘડતર થયેલું. તેથી કોઈ પણ સાધુ-ભગવંતની વૈયાવચ્ચ આદિ પોતાની નજર સમક્ષ કરતા. અન્ય સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને કંઈક થતું હોય તો તેમની ભકિત પણ ખાસ કરતા. તેઓએ પોતે પણ વારંવાર જણાવેલું અને લખેલું કે મારી ભયંકર માંદગીમાં પણ મારા સાધુજીવનને ડહોળી નાંખે તેવી કોઈ પ્રવૃત્તિઓ કરશો નહીં. ગુરુપરંપરાને ખૂબ જ ચુસ્ત અને વફાદાર રહેતા. પોતાની લઘુતા અને ગુરુની ગુરુતા તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy