________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
સાધુજીવનની સામાચારીમાં પરમ ચુસ્ત બનીને વૈજ્ઞાનિકોને પણ અચંબામાં મૂકે તેવા ઝીણામાં ઝીણાં રહસ્યોના જાણકાર અને વિજ્ઞાનની છેલ્લી (સામાન્ય રીતે ભૂગોળ – ખગોળ અંગેની) શોધખોળના વિષે ઊંડી જ્ઞાનસૂઝ ધરાવનાર અનેરી વિશિષ્ટ વ્યકિત એટલે “પૂજ્ય ગુરુદેવશ્રી” એક સાથે આ બધી જ વસ્તુઓ શક્ય હોવી તે કયાં જોવા મળે?
મૌક્તિક
જ ધીરજ, ક્ષમા, મધુરભાષા અને સમજણપૂર્વકનો વૈરાગ્ય – આ ચાર સાધનારૂપી
મહેલના સ્તંભો છે. આજ્ઞા-પાલન વિનાની સાધના કાઠે બાંધી રાખેલ હોડીને હલેસાં મારવાની ક્રિયાની
જેમ લગભગ નિષ્ફળ રહે છે. જ ચંચળતા તથા સંસારી પદાથોનું આકર્ષણ, સાધનામાર્ગમાં બાધક હોઈ જીવનમાંથી તે બંનેનો ઘટાડો કરવા સાધકે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. સાધકે જીવનમાં નીચેના ગુણો કેળવવા ખૂબ પ્રયત્ન કરવો. . . પ્રાણીમાત્ર પર મૈત્રી, દયાભાવ.
પરમાર્થવૃત્તિ - કોઈનું પણ કામ કરી છૂટવું. ગુણપ્રાપ્તિ માટે ગુણવંતોની ભકિત કરવી. વિનય, વિવેક અને નમ્રતા જીવન સાથે વણી લેવાં. વ્યવહારમાં પણ સૌજન્યવૃત્તિ જાળવવી. જાપ સાથે આવશ્યક ક્રિયાઓ, પૂજા, સ્વાધ્યાય, પ્રતિક્રમણ આદિવ્યવસ્થિતપણે સમયસર કરવા આગ્રહ રાખવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org