________________
૩૦
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
અને વિજ્ઞાનની દલીલો વિજ્ઞાનની જ પરિભાષા દ્વારા કેવી રીતે અધૂરી છે તેના જડબેસલાક કારણો શોધી કાઢ્યાં. તે અંગે તેઓશ્રીનાં મુદ્રિત થયેલ જુદાં જુદાં પુસ્તકો પણ આજે ઉપલબ્ધ છે.
દેશ-વિદેશની વિજ્ઞાનશાળાઓ, વૈજ્ઞાનિકો, પ્રોફેસરો સાથે પણ પત્રવ્યવહાર કર્યો. અમેરિકાની નેશનલ જીયોગ્રાફીકસ સોસાયટીએ તેનું સભ્યપદ પૂજ્યશ્રીને એનાયત કર્યું. સામાન્ય રીતે આ સભ્યપદનું બહુમાન ઊંચીકોટીનું જ્ઞાન ધરાવતા ઊંડા અભ્યાસીઓને પ્રાપ્ત થાય છે. ભારતમાં પણ મુંબઈની એશીયાટીક સોસાયટીએ તેનું સભ્યપદ એનાયત કર્યું. દિલ્હીની ઑલ ઈન્ડિયા સાયન્સ ટીચર્સ ઍસોસિયેશને તેનું સભ્યપદ એનાયત કર્યું. હૈદ્રાબાદની ડફકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીયોગ્રાફીએ આજીવન સભ્યપદની ફેલોશિપ અર્પણ કરી. અમદાવાદની ગુજરાત એસ્ટ્રોનોમીકલ ઓક્ઝવરીએ કાયમી સભ્યપદ એનાયત કર્યું. વિદેશની વિખ્યાત સંસ્થાઓના પગલે ભારતની સંસ્થાઓએ વૈજ્ઞાનિક સભ્યપદ એનાયત કયાં. જેઓ પહેલાં એક સાધુ જણાવે છે માટે કાંઈ સાંભળવા તૈયાર ન હતા.
એપોલોની ચંદ્રયાત્રા અંગે પણ અમેરિકાની ‘નાસા' સંસ્થા અને રશિયાની સંસ્થાઓ સાથે ઘણો પત્રવ્યવહાર થયો. એપોલોમાં જનાર ચંદ્રયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ભારત આવ્યા ત્યારે ખુલાસા માગ્યા.
- પૂજ્યશ્રીને વીતરાગનાં ટંકશાળી વચનોમાં અનુભવજન્ય દિન-પ્રતિદિન વિશ્વાસ વધતો જતો હતો. તેથી પોતાના નામને અનુરૂપ “અભય” બનીને વિજ્ઞાનને પડકાર આપી શકતા.
૬ વર્ષની વયે દીક્ષા લેનાર, શાળામાં વ્યાવહારિક જ્ઞાન પણ નહીં મેળવનાર બાળ દીક્ષાર્થીઓ શું સમજે ? એવો પ્રશ્ન પૂછનાર લોકોને તેમના જીવન દ્વારા એમ બતાવ્યું કે સાધકને કશું જ અશકય નથી.
જ્ઞાન - વિજ્ઞાનની ચર્ચા અર્થે અનેક પાશ્ચાત્ય પદ્ધતિવાળા વૈજ્ઞાનિકો મળ્યા અને છેવટે વૈજ્ઞાનિકોએ મોંમાં આંગળાં નાંખ્યાં. સાથે અદ્ભુત - અભુતના ઉદ્દગાર પણ નીકળ્યા કે, ચુસ્ત શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે (કયાંય છૂટછાટ વગર) જીવન જીવવા છતાં પણ આવી શોધો ? આવા સવાલો? અને તેના તર્કબદ્ધ (શાસ્ત્રીય) જવાબો કયાંથી ઉદ્ભવે છે?
શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે દિવસ-રાત કેવી રીતે થાય છે ? સૂર્ય-ચંદ્ર કેવી રીતે ફરે છે ? ઋતુઓ કેમ બદલાય છે ? તે અંગેનું પ્રેકિટકલ મોડેલ ઊભું કરવા માટે શ્રી જંબૂદ્વીપ'ની રચનાનું વિચારાવ્યું. તેથી ભાવી પેઢીને વીતરાગનાં વચનોમાં અવિચલ શ્રદ્ધા બેસે. આત્મા - પુનર્જન્મ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક વગેરેમાં તેની અડગ આસ્થા, શુદ્ધ શ્રદ્ધા બની રહે.
શ્રી જંબૂદ્વીપની રચના એ ખૂબ જટિલ કામ છે જેમાં પૂ. ગુરુદેવથી એકલા જ હતા. શ્રી જંબુદ્વીપમાં પણ તેઓ નિર્લેપ રહ્યા અને શ્રી નવકાર તથા ભાવિભાવ ઉપર તેમણે સમગ્ર વસ્તુ છોડી દીધી. ઘણી બધી સમસ્યાઓને હલ કરીને આજે પણ પૂ આ શ્રી અશોકસાગર સૂરિજી મ. તેને સાકાર બનાવવા માટે પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org