SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિઠા સમક્ષ રાખતા અને પછી જે પ્રેરણા મળે તે જવાબ લખતા, પ્રેરણા ન થાય ત્યાં સુધી કલમ ઉપાડતા નહીં. આ વસ્તુ જાણવા છતાં પણ કયારેય સમજી શકતા ન હતા, અને ધાર્યા સમયે જવાબ ન મળતાં દુ:ખી થતા. જો નવકાર સાથેનું જોડાણ નક્કર હોય તો વગર આશાએ પણ સુંદર પ્રેરણાઓ મળતી. આવી સમજણની ગેડ ન રહેવાથી ખૂબ Misunderstanding થતું. ટૂંકી બુદ્ધિથી બીજાની સાથે કેમ આવું અને આપણી સાથે કેમ નહીં એવું વિચારીને ગુરુકૃપા માટેની પાત્રતા વધારવાને બદલે ઘટાડવાના પ્રયત્નો થતા. ૨૯ પૂ ગુરુદેવશ્રીએ પોતાના જીવનમાં જુદી-જુદી જાતની સાધક અવસ્થાના માર્ગે ચુસ્ત રીતે ચાલવાના પ્રયત્નોના કારણે તેમજ બાલ્યવયની દીક્ષા સંસારની રીતભાતથી તદ્દન અજાણ અને સિદ્ધાંતો - પ્રણાલિકાઓને વળગી રહેવાના આગ્રહના પરિણામે નિકટવર્તી વ્યકિતઓમાં કયારેક કયારેક જમાનાવાદી પદ્ધતિના કારણે પૂજ્યશ્રી પ્રતિ ગેરસમજણ રહેતી, છતાં પૂજ્યશ્રીની વરસતી અપાર કરુણા ‘ન’ તો જોઈ શકાતી, ‘ન’ તો તેમના હૃદયને સ્પર્શી શકતી. પરંતુ પૂજ્યશ્રીની સરળતા અને નિખાલસતાના કારણે દરેકના હૈયામાં તેમનું સ્થાન આગવું રહેતું. ભૂગોળ-ખગોળ શાસ્ત્રીય સિદ્ધાંતથી સિદ્ધ થયા બાદ દરેક વસ્તુ પ્રત્યેનો અભિગમ વૈજ્ઞાનિક પદ્ધતિનો રહેતો દરેક વસ્તુમાં આવું કેમ ? આ અહીં કેમ ? આની પાછળ રહસ્ય શું ? તેનો ઉકેલ ખોળવા સતત પ્રયત્ન કરતા. નાનપણમાં પૂ. ઉપા. મએ વ્યાખ્યાન શરૂ કરાવ્યું. થોડાં વર્ષો બાદ તેમને એમ લાગ્યું કે, યુવા પેઢી ઉપાશ્રય અને વ્યાખ્યાનથી દૂર થતી જાય છે તેનું કારણ શું ? તે શોધવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, કોઈ આવે તો તેને કારણ પૂછતા, તેમાં તેમણે અનુભવ્યું કે કેટલાક લોકો બાધાના ડરથી સાધુની પાસે ઉપાશ્રયમાં નથી આવતા. આથી પૂજ્યશ્રીએ ફોર્સ કરીને બાધા આપવા પર પૂર્ણવિરામ મૂકયો. યુવાનોને આર્ય સંસ્કૃતિ તરફ વાળવા ફૂલો અને કૉલેજમાં વ્યાખ્યાનો ગોઠવતા અને ત્યાં સામાન્ય તાત્ત્વિક વિષયો અને આર્ય સંસ્કૃતિને સ્પર્શતી બાબતોની છણાવટ કરતા. તેમાં એક વખત અમદાવાદની L. D. એન્જિનિયરીંગ કૉલેજમાં ‘PRINCIPAL OF REBIRTH’ ‘“પુનર્જન્મનો સિદ્ધાંત'' સમજાવતા. તે વખતે એક વિદ્યાર્થી પૃથ્વીનો ગોળો લઈને આવ્યો, અને સવાલ પૂછયો કે, મહારાજજી, આ છે આપણી પૃથ્વી ? દુનિયા આમાં કયાં છે ? સ્વર્ગ - નરક કયાં છે ? પાપ-પુણ્ય બેમાંથી એકેય નથી, તો વાત શા માટે કરવી ? તે દિવસે પૂજ્યશ્રીએ જવાબ તો આપ્યો. પરંતુ પાછા ફરતાં ખૂબ મનોમંથન દ્વારા એમ લાગ્યું કે હવે પૃથ્વી વિષે, તેના આકાર અને ગતિ વિષે, વિજ્ઞાન તેમજ શાસ્ત્રનો અતિ બહોળો અભ્યાસ કરવો જ પડશે, તે વિના આજની યુવા પેઢીને સમજાવવી દુ:શકય છે. તેથી તેઓશ્રીએ વિજ્ઞાન શું કહે છે તે વિષેનો અભ્યાસ શરૂ કર્યો. રાત્રે ઉપાશ્રયમાંથી દૂરબીનથી ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો. જુદી જુદી વેધશાળાઓમાં પત્રો લખી સંપર્ક કરી સાહિત્ય મંગાવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy