________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
२८
ચારૂપ
૮-૧-૮૬ ધર્મ એટલે ક્ષયોશિમિકભાવે મોહના નાશની પ્રક્રિયા, જેના છેવટના પરિણામે મોહનો સંપૂર્ણ ક્ષય પ્રાપ્ત થાય છે. મોહના ક્ષાયોપથમિક ભાવે ક્રમિક ક્ષયની ભૂમિકાએ આવવા માટે જ્ઞાની નિર્દિષ્ટ ગુણસ્થાનકોચિત તે તે નિર્દિષ્ટ ક્રિયાઓનું આજ્ઞાશુપાલન જરૂરી છે.
વિચારોની = ઉતાવળે ફળ મેળવવાની અણછાજતી ઉતાવળ પ્રાથમિક કક્ષાના આરાધકોના જીવનમાં થવા સંભવે છે. તેને અટકાવવા જ્ઞાની નિશ્રાએ આપણી જાતને સ્વચ્છેદભાવમાંથી મુકત બનાવવા જ્ઞાનીઓની આજ્ઞાને યથાશકય સક્રિય બનાવવાની – યથાશકય તત્પરતા કેળવવાની જરૂર છે. વિચારોમાં ક્ષદ્રતાના કારણે ઘણી વાર ફળસ્પૃહા જોર કરી બેસે છે. તેથી તેવા વિચારોને પરમાર્થાનુગામી બનાવવા, જ્ઞાની મહાપુરુષોના શરણે નિષ્કામભાવના બળે નિષ્ક્રિય બનાવવા જરૂરી છે. આ માટે તત્વનિષ્ઠા એટલે પારમાર્થિક આત્મશુદ્ધિના તત્વની સ્પષ્ટ ઓળખાણ મેળવી લક્ષ્યમાં તેને સ્થિર કરવાની ખાસ જરૂર છે. આ અંગે પરિણતિને નિર્મળ રાખવા મોહના સંસ્કારોને નિર્બળ બનાવવા જરૂરી છે. તે ભૂમિકા શ્રી વીતરાગ પ્રભુની વાણીના સ્વાધ્યાય અને તેઓએ નિર્દેશેલ છ આવશ્યકોના અનુષ્ઠાનના પરસ્પર પૂરક બળ દ્વારા મેળવી શકાય છે. જ્યાં સુધી જ્ઞાની નિર્દિષ્ટ છ આવશ્યકની ક્રિયાઓમાં વિધિ, શાસ્ત્ર અને મર્યાદાનો સુમેળ સાધી ન શકાય ત્યાં સુધી અંતરંગ બહુમાન જ્ઞાનીઓ પ્રતિ ઊપજતું નથી. તેવો ભાવ જન્મે એટલે જ્ઞાનીઓની વાતો ગમે જ! જ્ઞાનીઓની વાત ગમી ત્યારે ગણાય જ્યારે કે જ્ઞાનીઓએ નિર્દેશેલ આત્મા અને કર્મનો થતો સંબંધ, તેના કારણે તથા તેના વારણના ઉપાયોનું મૌલિકજ્ઞાન ગુરુચરણે મેળવી તદનુસાર કર્મસંબંધને હઠાવવા સક્રિય પ્રયત્નોનો ઘોડાપૂર ઉમંગ ઉછાળા મારે.
આવી દશા ધર્મના આરાધકની જ્યારે જન્મે ત્યારે સાનુબંધરૂપે ધર્મક્રિયાઓ આત્માને મોહના ક્ષયોપશમની ભૂમિકામાં યથોત્તર વધારો કરાવી છેવટે ક્ષાયિકભાવે મોહને હડસેલી આત્માને પરમાનંદની ઉચ્ચ ભૂમિકાએ લાવી મૂકે. આ રીતે અનાદિકાળના વીસરાઈ ગયેલ આપણા આત્માના શુદ્ધ ક્ષાયોપથમિક ભાવે અને તેમાંથી ક્ષાયિક ભાવે યોગ = સંબંધ કરાવી આપે. એથી ક્રિયા યોગરૂપ ગણાય છે. આત્માના લક્ષ્ય કે યથોત્તર અનુભૂતિ ન કરાવનાર ક્રિયાઓ માત્ર શરીર - વચન મનથી થતી હોય પણ અંતરંગ આત્મામાં અનાદિકાળના વિસ્મૃત બનેલ વિશુદ્ધ સહજ સિદ્ધ સ્વરૂપ જેવા આપણા મૌલિક સ્વરૂપને મેળવવાના ધ્યેય વિના તે ક્રિયા આત્માની ક્રિયા ન ગણાય. પણ જડ = શરીર – વચન - મનની ક્રિયારૂપ હોઈ જડક્રિયા ગણાય. તે જડ ક્રિયાઓ, પુણ્યનું સર્જન કરાવે તેમાંથી અવસરે વિશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org