________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૨૯૯
ક્રિયાયોગના સર્જનની ભૂમિકા, ઉપાદાનની જાગૃતિ અને સાનુબંધ ક્રિયાયોગનું સર્જન કરાવનાર બને. તેથી આવી જડ ક્રિયાઓ સર્વથા એકાંત હેય -- ઉપેક્ષણીય નથી. પણ વિવેકી આરાધક પુણ્યાત્માએ તો જે ક્રિયાઓથી અનાદિનું ભવભ્રમણ ઘડીના છઠ્ઠા ભાગમાં સહેલાઈથી દૂર થાય તેમ હોય, ત્યાં ભાવીના ભરોસે પુરુષાર્થહીન કેમ રહેવાય?
તેથી વિવેકી પુણ્યશાળી આરાધક આત્માઓએ ક્રિયાઓને જડક્રિયાના ચોકઠામાંથી બહાર કાઢી ક્રિયાયોગના મોક્ષના ધોરી રાજમાર્ગ પર લાવવાનો સત્ પ્રયત્ન જરૂર કરવો જોઈએ. તેમાં જ જિનશાસન પામ્યાની સફળતા છે.
પાટણ
૧૨-૧-૮૬ વિવિવેકબુદ્ધિના પ્રકાશમાં તત્વભૂત પદાર્થોની ઓળખાણ ગુરુકૃપાએ સુશકય છે. પણ તેના યથાર્થ રહસ્યને સ્વાનુભૂતિની સરાણ પર ચઢાવી/પારખી અંતરંગ શકિતઓમાં તેની અમિટ છાપ ઉપસાવવી હકીકતમાં દુર્લભ છે. તેનો શાશ્વત આ-બાલગોપાલ રાજમાર્ગ એ છે કે જ્ઞાની ગીતાર્થ સદ્દગુરુનાં ચરણોમાં નિખાલસ આત્મસમર્પણ કરી, જ્ઞાની નિર્દિષ્ટ સ્વસ્વકક્ષાનુરૂપ તેને વિશિષ્ટ અનુષ્ઠાનોને વિધિ – શાસ્ત્ર મર્યાદાના બંધારણ સાથે અપનાવવા માત્રથી, આપણા અંતરંગ પુદગલ પ્રેમ અને અંતરંગ પુદ્ગલ પ્રતિ આકર્ષણની માત્રા ઘટવા પામે છે. કેમ કે પૂર્વોકત રીતે ક્રિયાઓના વિશુદ્ધ આસેવનથી આપણા ક્રિયામળ(ચારિત્ર મોહ)ના ઘટાડા સાથે ભાવમળ(દર્શન મોહીનો ઘટાડો થાય છે. તેથી આત્મદ્રવ્ય કરતાં વિજાતીય પુદ્ગલ – અજીવ તરફનું અનાદિકાળના અશુભ સંસ્કારોથી થતું આકર્ષણ સ્વત: ઘટી જાય એ નિર્વિવાદ હકીકત છે.
આ વાત એટલા માટે જણાવી છે કે તમે ગયા પત્રમાં બાર મહિનાના અમુક પિકચર – સિનેમા જેવાની લીધેલ બાધાને ઘરમાં આવી ગયેલ TV. પર ભાઈબંધોના દબાણને વશ થઈ જવું પડે તો નિયમ શી રીતે પાળવો? તે માટે આ સૂચન છે કે એવી લજા - શરમ – દાક્ષિણ્યને, નૈતિક બળ કેળવી તિલાંજલી આપવી જોઈએ તેમાં કોઈને કશું ખોટું ન લાગે. લાગે તો પણ એક વાર –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org