________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પાટણ
ט
૨૫
૨૪-૯-૮૫
વિ પર્વાધિરાજની આરાધના ખૂબ સારી થઈ હશે. તમારામાં જે ધર્મબીજ, સ્વાધ્યાય, સાધુસંગ, અને ધર્મરુચિના કારણે પડ્યાં છે તેને વધુ સુયોગ્ય રીતે ખીલવવા જરૂરી ૨૦ મુદ્દાનો જીવનશુદ્ધિનો કાર્યક્રમ આ પત્રમાળામાં વિચારવો શરૂ કર્યો છે. તેમાં ૧૨ ગુણો વિચારાઈ ગયા છે. હવે આગળ વિચાર કરીએ.
-
Jain Education International
વ્યવહારશુદ્ધિને ટકાવનારા ૪ સદ્ગુણો
૧૩. ખોટા ખર્ચનો ત્યાગ - વ્યવહારમાં આવક જાવકનાં પાસાં સરખાં રાખનારો વ્યવસ્થિત રીતે વિકાસ કરી શકે છે. પણ જાવકમાં જરૂરી - બિનજરૂરીનો વિવેક રાખી, ફોગટ ખર્ચને રોકનારો જ પોતાની વ્યવહારશુદ્ધિ જાળવી શકે. માટે આત્મશુદ્ધિના પંથે ધપવા ઇચ્છતા પુણ્યવાને ખોટા-બિનજરૂરી ઉડાઉ ખર્ચા સદંતર બંધ કરવા પ્રયત્ન કરવો ઘટે. તેમ ન કરવાથી આળસ, બેદરકારી, વાસના-વિકારી તત્ત્વોની પ્રબળતા વધવા પામે છે. માટે ખોટા બિનજરૂરી ખર્ચાનો ત્યાગ વ્યવહારશુદ્ધિ માટે ખાસ જરૂરી છે. પુણ્યના ઉદયથી થતી આવકનો ઉપયોગ વિકારીભાવોના પોષણ માટે કે અજ્ઞાનદશાની ઘેલછાને પોષવા થાય તો તે પુણ્યાઈ સરવાળે મોહના ઉદયને વધારનારી જ થાય. માટે જીવનશુદ્ધિને ઇચ્છતા પુણ્યાત્માએ નવા મોહને ન વધવા દેવાની સાવચેતી જરૂર કેળવવી જોઈએ. તે માટે બિનજરૂરી - ઉડાઉ ફાલતુ ખર્ચાઓને સમજણપૂર્વક બંધ કરવા વિવેકબુદ્ધિથી કામ લેવું ઘટે. આ રીતે જીવનશુદ્ધિના પાયાને વ્યવસ્થિત કેળવવાની જરૂર છે.
延
-
૨૯૩
૧૪. જરૂર હોય ત્યાં ખર્ચ જરૂર કરવો, ત્યાં કંજૂસાઈ ન કરવી - વ્યવહારકામમાં જ્યાં જરૂર હોય એટલે કે જેનાથી વ્યવહાર ઊજળો બને અગર જીવન-જરૂરિયાતોમાં તંગી ન પડે અગર આપણો કુળ-વ્યવહાર કે ધર્મ લજવાય નહીં તે રીતનો જરૂરી ખર્ચ કરવામાં કંજૂસાઈ ન વાપરવી. કંજૂસાઈ કરવાથી આપણી મનોવૃત્તિ અને ધર્મવ્યવહાર કલંકિત થાય છે. તેથી જીવનશુદ્ધિ માટે જીવનવ્યવહારમાં કરકસરને સ્થાન આપવા છતાં બિનજરૂરી કરકસર અગર સમજણ વગરની કરકસર કંજૂસાઈને આમંત્રે છે. માટે જીવન-વ્યવહાર અને ધર્મની પવિત્રતા જાળવવાં, જેનાથી જીવન-વ્યવહારની જરૂરી જોગવાઈ વ્યવસ્થિત રીતે થતી હોય ત્યાં કરકસરના નામે કંજૂસાઈ ન કરવી એ ખાસ જરૂરી છે.
૧૫. મુખ્ય કાર્યનો આગ્રહ કરવો - જીવનમાં કરવા લાયક ઘણાં કાર્યોમાં જેનાથી જીવનની કક્ષા ઉન્નત બને. સ્વ-પર કલ્યાણના પંથે આગળ ધપે તેવા કાર્યને પ્રધાનતા આપવી. દરેક પ્રવૃત્તિઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org