________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા
૨૭૦
સંસાર દુઃખફળક છે ! સંસાર દુઃખની પરંપરાવાળો છે ! તેનો સમૂળ નાશ શુદ્ધ = આજ્ઞાશુદ્ધ
ધર્મ = ક્રિયાયોગથી થાય. તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્મ = મોહનીય = દર્શનમોહ અને ચારિત્રમોહના યથાયોગ્ય ક્ષયોપશમથી થાય.
આ ક્ષયોપશમ - તથાભવ્યત્વ = ૧ વિશિષ્ટ કાળ, ૨ વિશિષ્ટ નિયતિ, ૩ વિશિષ્ટ પુરુષાર્થ અને વિશિષ્ટ કર્મ (ક્ષયોપશમ આદિ)- આ ચાર પદાર્થોના સહકારવાળું ભવ્યત્વ = સ્વભાવના પરિપાકથી થાય. આ તથાભવ્યત્વના પરિપાક માટે -
- ચતુરશરણગમન - દુષ્કૃત ગહ
- સુકતાનુમોદના - આ ત્રણ મહત્ત્વનાં સાધનો છે. આ ત્રણની યથાયોગ્ય - ગત પત્રમાં નિર્દેશ્યા મુજબ જ્ઞાની સદ્ગરનાં ચરણોમાં બેસી આગેવનાથી ક્રિયાયોગની અર્થાત્ જિનશાસનની યથાર્થ આરાધનાની ભૂમિકા વ્યવસ્થિત રીતે કેળવાય છે. કેમ કે જિનશાસનની આરાધનાનો પ્રાણ, આત્મતત્વના અનાદિકાલીન વિભાવજન્ય મલિન સ્વરૂપને, વિશિષ્ટ ક્રિયાયોગના વ્યવસ્થિત સેવનથી વિશુદ્ધ કરવાનો છે.
તે માટે આંતરિક વિવેકની માત્રાની યથાયોગ્ય કેળવણી જરૂરી છે. તે વિવેકનો અર્થ - હું કોણ ? મારી યથાર્થ સ્વરૂપદશા કેવી ? આ વિકૃત દશા શાનાથી થઈ ? તેના ઉપાય તરીકે મારે શું કરવું? આદિ બાબતોનો યથાયોગ્ય વિચાર થાય છે.
આ અંગે વિજાતીય તત્ત્વ તરીકે કર્મસત્તાની સ્પષ્ટ ઓળખાણ જરૂરી છે, તે કર્મસત્તાનો પ્રવેશ, ઉદય અને વિનાશ કેવી રીતે ? તેની વિગતો જાણવી જરૂરી છે. તે માટે જ્ઞાની સદગુરુના શરણે પોતાની જાતને સમપ તેઓ દ્વારા સૂચવાતા આંતરિક અશુદ્ધિ – મનની ભૂમિકાને પલટાવવા ક્રિયાયોગના કક્ષાનુરૂપ નિર્દેશનોની, યથાશકય આચરણાની ખાસ જરૂર છે. તેનાથી વિશુદ્ધ ઉચ્ચ શકિતઓના નિધાનસમા આત્મતત્ત્વની વાતોના ચિંતનાદિની અધિકારિતા – પાત્રતાનો વિકાસ થાય છે.
આ જાતની ક્રમિક વિકાસ પામતી અધિકારિતા – પાત્રતા વિના આત્મતત્વની માત્ર હૃદયંગમ શાબ્દિક વાતો કે - હું શુદ્ધ છું, બુદ્ધ છું ! મારો આત્મા શુદ્ધ સ્વરૂપી છે ! સિદ્ધનો સાધર્મિક છે ! મારા ચિત્ સ્વભાવને આ પગલિક ભાવને શી લેવા દેવા ! હું તો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા સાક્ષીરૂપ છું. મારા જ્ઞાનાદિ અનુભવની વાત જ મારા માટે હિતકારી છે,
બાકી આ ક્રિયાઓ તો દેહ, બુદ્ધિ, મનથી થાય છે, એ જડ ભાવમાંથી ઊપજતી ક્રિયાઓ મારા આત્મસ્વરૂપને શી રીતે પ્રાપ્ત કરાવે? જડ ક્રિયાઓ શું આત્મહિત સાધે ? વળી આત્મસ્વરૂપને જાણ્યા વિના બધું નકામું છે – આદિ વાતોથી, અનાદિકાલીન આત્મશુદ્ધિના જ્ઞાની નિશ્રાએ આચરાતા ક્રિયાયોગની આરાધનારૂપ જિનશાસનની, ભારોભાર ઉપેક્ષાનું મહાપાપ પાત્રતાના યથાયોગ્ય વિકાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org