________________
૨૬૯
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
કેમ કે આપણામાં જ્ઞાની સદગુરુના મુખે સ્વકક્ષાનુરૂપ યોગ્ય વિધિશુદ્ધ ધર્મક્રિયાઓના આસેવનથી મેળવાતી આત્મશુદ્ધિના ધોરણે સમજાવાતા વિશુદ્ધ આત્મસ્વરૂપને મેળવવાની તમન્ના જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આપણી જીવનસાધના વધુ કાર્યક્ષમ બની શકે. એટલે ચતુદશરણગમન, દુષ્કૃત ગોં, સુકૃતાનુમોદન આ ત્રણ બાબતો વિશુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિ માટે ખૂબ જરૂરી છે.
ટૂંકમાં આપણને વિશુદ્ધ ક્રિયાયોગથી જેમ જેમ અંતરની ગ્રાહકતા વધે તેમ તેમ સદ્ગર આપણી વૃત્તિઓમાં તે તે નયની મુખ્યતાએ વિશુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવે. તે ઓળખાણ સફળ ત્યારે થઈ ગણાય જ્યારે કે તે આત્મસ્વરૂપની વિશિષ્ટ, ક્ષાયિક કે માયોપથમિક માત્રામાં પહોંચેલા , તે દિવ્ય તત્વોના વિશુદ્ધ આત્મસ્વરૂપ તરફ, સાહજિક આંતર ઝુકાવથી તેઓને તુંહી તુંહી તરીકે સ્વીકારવાની આપમેળે નિખાલસ સૂઝ થવા પામે.
આ રીતે શરણોપગમનની પ્રક્રિયાના ફળ રૂપે, આવા આત્મસ્વરૂપને ભૂલી અત્યાર સુધી વિજાતીય તત્વરૂપ પુદ્ગલના ખેંચાણથી થયેલ-આચરેલ તમામ પ્રવૃત્તિરૂપ દુષ્કતોની ગહ, અંતરના ઊંડાણથી થવા પામે. તે ગહની પ્રબળતાએ વિશુદ્ધ આત્મસ્વરૂપના અંતરના સાહજિક ખેંચાણથી આવું આત્મસ્વરૂપ ક્ષાયિક કે માયોપથમિક ભાવે જોવા જાણવા મળે એટલે અંતરના તાર તે તરફ ગુણાનુરાગ દષ્ટિથી ઝણઝણી ઉઠે અને પ્રબળ ઉચ્ચ કોટીની સુકૃતાનુમોદના થાય.
આ રીતે ચતુદશરણગમન, દુકૃતગહ, સુકતાનુમોદના- આ ત્રણ પરમોચ્ચ કોટીનાં તત્ત્વો છે. આનાથી આત્મશુદ્ધિની સાધનાનો માર્ગ ખૂબ વ્યવસ્થિત રીતે સફળ થાય છે.
Hી
૨૧-૫-૮૫ ગયા પત્રમાં આત્મસ્વરૂપને નિરાવરણ કરવા માટે જિનશાસનની મર્યાદા પ્રમાણે જ્ઞાનીઓની નિશ્રાએ સ્વસ્વકક્ષાનુરૂપ ક્રિયાયોગની બંધારણીય બાબતોનું નિર્દેશન કરેલ.
સંસાર દુઃખમય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org