SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમસ્કાર મહામંત્ર તત્વયં પૂ. ગુરુદેવશ્રી ફરમાવતા કે જ્ઞાનગુરુની નિશ્રા, સમય, સ્થાન, સંખ્યાની ચોકકસાઈપૂર્વક વર્ણયોગના માધ્યમે થતો શ્રી નવકારનો જાપ અને તેના સહાયક પરિબળરૂપે પોઝિટિવ ફોર્સ = સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, ગુરુવંદન, પ્રતિક્રમણ આદિ અને નેગેટિવ ફોર્સ = રાત્રિભોજન - અભક્ષ્ય આદિ ત્યાગ, લોકસંપર્ક ત્યાગ, આદિના બળે શ્રી નવકાર દ્વારા આત્માની અનુભૂતિ થોડા જ સમયમાં અવશ્ય થાય – થાય ને થાય જ. છ બિનરારતી શરણાગતિભાવ અને જ્ઞાની ગુરની નિશ્રા ઉપર ભાર મુકાયાવગર થતી ક્રિયા ઈચ્છિત પરિણામ નથી લાવતી પણ કયારેક વિકૃતિ પણ લાવે છે. પૂજ્ય ગુરુદેવશ્રી જણાવતા કે બંધારણ પ્રમાણે ઉપર જણાવેલ જ્ઞાની ગુરુની નિશ્રા આદિ) થતો જાપ, આપોઆપ આરાધકની કક્ષા ઊંચે લેતો જાય છે. અને ધ્યાનની ભૂમિકાએ સહજ રીતે પહોંચી જાય છે. ધ્યાન શિબિરોમાં પ્રાથમિક શરૂઆતના સમયમાં આનંદ લાગે પણ તે ભૂમિકા લાંબો સમય સ્થિર રહી શકતી નથી. અને કયારેક વ્યકિત જિનપૂજા, પચ્ચકખાણ, પ્રતિક્રમણાદિ રાજમાર્ગની ક્રિયાઓને ગૌણ ગણીને ધ્યાન કરતો કયાંક દુર્બાનમાં અટવાય છે. આ પૂજ્ય ગુરૂદેવશ્રીના સ્વાનુભવની વાત હતી કે પરંપરાથી ચાલતી પ્રાણવંત વસ્તુઓને પકડવાથી જ “મુક્તિ” જલદી મળે. પ્રાચીન પરંપરાના દઢ આગ્રહી પૂ. ગુરુદેવશ્રી આ પડતા પંચમકાળમાં જ્યાં સુધી યુગપ્રધાન પ્રગટ ન થાય ત્યાં સુધી મૂળ માર્ગને ખૂબ વફાદાર રહેવાની જરૂર છે એવું જણાવતા. પૂજ્યશ્રીને ૫૦ પૂ. હરિભદ્રસૂરિજી મ. ના શાસ્ત્રગ્રંથોનાં વાંચનની પ્રેરણા મળી. અને પછી પૂજ્યશ્રી તો તેઓશ્રીના ગ્રંથોમાં એવા લીન થઈ ગયા કે પોતાના જીવનકાળ દરમ્યાન એ ગ્રંથોનું વાંચન મુખ્ય રહ્યું. ક્ર પૂ. ગુરુદેવશ્રી પાછળથી શ્રી “ચારૂપ” તીર્થમાં આરાધના અર્થે રોકાયા. ત્યાં પણ તેમને ખૂબ દિવ્ય અનુભવો થયા. અને પૂર હરિભદ્રસૂરિ મ.ના સાહિત્યના સ્વાધ્યાયમાં ખોવાઈ ગયા. પૂ. ગુરુદેવશ્રી કહેતા કે શ્રી નવકારમાંથી જ અન્ય મંત્રોની ઉત્પત્તિ થઈ છે. “ગાયત્રી મંત્ર” (બુદ્ધિનો મંત્ર) તે પણ શ્રી નવકારમાંથી ઉત્પન્ન થયેલ છે. “નવકાર તો હૃદય અને આત્માનો મંત્ર છે.” તેથી જે કાંઈ ગાયત્રીને લાગુ પડે તે સર્વે નવકારને પણ લાગુ પડે. પૂજ્યશ્રી ફરમાવતા કે, બાહ્ય સંપર્કો ઓછા કરો એટલે અંદરના વિશાળ દરવાજા ખૂલે અને આત્માની મસ્તી અનુભવી શકાય. બાહ્ય સંપર્કો જેટલા વધારે એટલો અંતરજગતમાં પ્રવેશ વિકટ. પૂ. ગુરુદેવશ્રીનું નૂતન આ. શ્રી અશોકસાટ સૂર મઠ શ્રીએ તત્ત્વ-ચિંતન-મનનથી પ્રેરિત “જય શ્રી નવકાર' પુસ્તક રૂપે બે વર્ષ પૂર્વે પ્રકાશિત કરેલ છે. તેમાં ભેદજ્ઞાન, વ્યવહાર નય - નિશ્ચય નયની ભેદરેખા વગેરે શાસ્ત્રીય પદ્ધતિથી ખૂબ સુંદર રીતે વર્ણવ્યા છે. તે આરાધક આત્માઓને વાંચવા માટે ભલામણ છે. Jain Education International For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy