________________
૨૪૨
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા
તમો શ્રી નવકારના જાપમાં સમય સ્થાનની મર્યાદા જાળવો છો તેમ પૂજા પદ્ધતિની વ્યવસ્થા સાથે શ્રી નવકારના અક્ષરાત્મક ધ્યાન માટે પ્રયત્નશીલ રહેશો. શ્રી નવકારના ચિત્રપટ સામે સોમ – ગુરુવારે રાત્રે ૮ થી ૧૦માં ૧૫ થી ૨૦ મિનિટ ધારીને આખો નવકાર વાંચવો. ૧ પદ ઉપર ૧ મિનિટ જેવું એવો ક્રમ રાખવો. નવકાર પૂરો થયા પછી પાંચ - સાત મિનિટ શ્રી નવકારના ગમે તે પદ પર નજર ફેરવતા રહેવું. તેથી મારા આત્માની શુદ્ધિ થાઓ તેવી ભાવના સતત કરવી. તમારી આરાધના બળે કષાયવાસના અહંકાર, પરદોષદર્શન આદિ દૂષણોનો ઘટાડો થાય એ જાતનો સંકલ્પ જરૂર કરશો. તમો અંત:કરણમાં શ્રી નવકાર પ્રતિ શ્રદ્ધા વિકસે તેવી નાની નાની વાતો તેમજ પહેરવેશ, ખાનપાનમાં વિકૃતિનાં તત્ત્વોનો પગપેસારો ન થાય તે માટે ખાસ ધ્યાન રાખશો.
२०
મંજપુર
૧૪-૧૨-૮૩ વિક જણાવવાનું કે જીવનમાં વિચારોનું મહત્વ હોય તે વિકાસને અવરોધે છે, જ્યારે વિચારોના સ્થાને આચાર અને તે પણ આચારશુદ્ધિનું જ્યારે જીવનમાં મહત્ત્વ થાય ત્યારે જીવનશકિતઓ વિકાસના પંથે વધવા માંડે. વિચારો = વિ = વિશેષ કરી અર્થાત્ વધુ - ચાર = ફરવું, માનસિક તરંગોની દુનિયામાં હરવા-ફરવાની, વાત કરવાની – વાત નહીં કરવાની – આવા લક્ષ્યહીન વિચારોથી આપણી જીવનશક્તિ અવળે માર્ગે વેડફાય છે. તેથી પુણ્યશાળી વિવેકી આરાધકોએ વિચારોના ઝંઝાવાતને શમાવવા સાવચેત રહેવાની જરૂર છે.
આજ્ઞાપાલન, કર્તવ્યનિષ્ઠા અને શરણાગતિનો ભાવ વિચારોની આંધીમાંથી ઊપજતા સ્વચ્છંદતાના વંટોળમાં કયાંય ગોળાઈ જાય છે. માટે આરાધના દરમ્યાન સતત આરાધકોએ વિચારોને આજ્ઞા-નિષ્ઠા અને જ્ઞાની નિશ્રાના ખીલે બાંધી રાખવા સતત પ્રયત્ન કરવો.
વિચારોનું મૂળ મનમાં દેખાય છે, પણ મનમાં આત્માએ પૂર્વોપાર્જિત મોહના સંસ્કારોની સક્રિયતાથી આવે છે એટલે મોહના સંસ્કારો વિચારોનો પાયો છે. શ્રી નવકારના વર્ણયોગની મર્યાદાપૂર્વકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org