________________
૨૪૦
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
અદમ્ય અતૃપ્ત વાસના સર્વથા તમારી આજ્ઞાના લક્ષ્યથી શાંત થાય એ મંગલભાવના !!! પછી કશા માટે ઝાંપા મારવાનું કે કંઈક મેળવવા માટેની વ્યાકુળતા જેવું મારા જીવનમાં ન રહે એ હકીકત સાકાર બને એ મંગલ કામના !!! સમ કે વિષમ સ્થિતિમાં આનંદ માણવાની કે ફરિયાદ કરવાની જગજૂની મારી ટેવ સદા માટે અસ્ત થાઓ !! એવી હાર્દિક નમ્ર પ્રાર્થના છે !!! સદા કામના અને બદલાની આશાને દોરે ચાલતી મારી વિચારસરણી અને કાર્યપદ્ધતિ શ્રદ્ધા – નિષ્ઠાના જોરે સમર્પિતભાવ બિનશરતી શરણાગતિ ભાવ તરફ ઝૂકી જાય એ અંતરની કામના !!!
છેવટે તમારી આજ્ઞાઓને શિરોધાર્ય કરી તે આજ્ઞાઓને જીવનમાં સાકાર બનાવવાનું મારું જીવનલક્ષ્ય જલદી સાકાર બનો !!! તે દિશામાં દિવસ-રાત મારી સાધના આગળ વધતી રહે એ પુનિત ભાવના !!!
તમારા દિવ્ય ચૈતન્યની સહસ્ત્રધારામાં મારા જડ જીવનના જામેલી રજ-ધૂળના થરો રોજેરોજે ધોવાઈને નિ:શેષ બને એવા આશીર્વાદની તમારી પાસેથી આ સેવક અપેક્ષા રાખે છે !!!
જીવનશુદ્ધિની મંગળયાત્રાનો મારો આ પ્રધાનસૂર તારા કાને પહોંચાડવા જપયોગનું માધ્યમ અપનાવી રહ્યો છું !!!
તેમાં સફળ રીતે પાર ઊતરવા તારા કૃપાકટાક્ષની ખાસ જરૂર છે ! મારી મંગળયાત્રા તારા નિષ્કારણ કૃપાકટાક્ષ ભરોંસે જ શરૂ થઈ છે !!! બાકીનું હવે તું જાણે છે!
સોમવારે અને શનિવારે આ સંકલ્પ દિવસમાં ત્રણ વાર – સવારે ૬, બપોરે ૧૨, સાંજે ૬ વાગે ર૭ નવકાર આગળ પાછળ ગણી જરૂરથી ર૭ અઠવાડિયા વાંચવો. આનાથી દિવ્ય આધ્યાત્મિક બળની સ્ફર્તિ રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org