________________
શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા
૨૩૯
,
ક
૧૮
ચારૂપ
૩૦-૧૧-૮૩ સાંસારિક યાતનાઓ - વિટંબણાઓ – આંતરિક વિક્ષેપો ને હઠાવવા ઉપયોગી બનાવવાની આવડત શ્રી નવકારના આરાધકે જ્ઞાની મહાપુરુષોના ચરણોમાં બેસી મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં કર્તવ્યનિષ્ઠા, આજ્ઞાપરાયણતા, અહંભાવનું વિસર્જન અને આંતરિક જાગૃતિ આ ૪ (ચાર) બાબતોનો યથાયોગ્ય વિકાસ થવો જરૂરી છે. તે માટે શ્રી નવકાર મહામંત્રનાં ચરણોમાં મસ્તક ઝુકાવી અંતરની સદ્ભાવનાઓ સાથે નીચે મુજબના સંકલ્પને જીવનમાં વણી લઈ આરાધનાના પંથે વાળવા પ્રયત્ન કરવાની જરૂર છે.
આ સંકલ્પ એટલે હકીકતમાં આરાધનાનો પ્રાણ છે. તેનાથી આપણી આરાધનાની શક્તિ ખૂબ પ્રાણવંતી બને છે. આરાધનામાં પ્રાણપૂર્તિ વિના આરાધ્યની શકિતનો લાભ મેળવી શક્તો નથી. તેથી નીચેના સંકલ્પ દ્વારા અંતરની શકિતઓમાં ચેતનાનો સંચાર પ્રાણવંત કરી આરાધનાને વેગવંતી બનાવવાની જરૂર છે. આ સંકલ્પ રોજ સવારે ૫ થી ૬માં, રાત્રે ૯ થી ૧૦માં અક્ષરશ: ત્રણ વાર વાંચવો જરૂરી છે.
આરાધના માટે દિવ્ય સંકલ્પ” હે પરમારાધ્ય શ્રી નવકાર ! હે મારા જીવનના ધ્રુવતારક સમા પંચપરમેષ્ઠીઓ !!
વિચારો, લાગણીઓ અને કાર્યોના મિશ્રણવાળું મારું અસ્તિત્વ ભૂંસવા હું તમારા શરણે આવ્યો છું !!! તમારી આજ્ઞાના ખીલે મારા વિચારો - લાગણીઓ અને કાર્યોને બાંધી દેવાનો દઢ સંકલ્પ કરું છું છે. તમારી આજ્ઞાને શિરસાવંદ્ય કરી વિચારો – લાગણીઓ અને કાર્યોના મિશ્રણરૂપ મારા અસ્તિત્વને ભૂંસી નાંખવા મને તમન્ના જાગી છે !!!
મારાં સઘળાં કાય, મારી બુદ્ધિ, મારી ઈચ્છાઓના પ્રેરક તરીકે અહંકારના બદલે તમારી આજ્ઞાનું બળ મને પ્રાપ્ત થાઓ !!!
કોઈ પણ કાર્યની સફળતા – નિષ્ફળતામાં મારો અહં પોષાય કે ઘવાય નહીં તે માટે તમારી આજ્ઞાને નિષ્ઠાથી સ્વીકારવા કટિબદ્ધ થયો છું છે. આવી નિષ્કામ શરણાગતિ માટે ઉચિત યોગ્ય સમજણ અને ભાવવિભોર નમ્રતા મને મળી રહે એ અભ્યર્થના !!! મારામાં કાંઈક મેળવવા માટેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org