________________
૨૩૮
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
છેલ્લી વખતે પાણી પાણી કરે છે, પણ રાજાની કડક આજ્ઞાના કારણે દયા આવવા છતાં કોઈ ચોરની પાસે જતું નથી. છેવટે બહારગામથી આવી રહેલ તે ગામનો શ્રીમંત શેઠ ચોરની કદર્થના જોઈ ખૂબ દયાળુ બન્યો. તેની પાણી પાણીની બૂમોથી શેઠ ખૂબ દયાળુપણાથી નજીક આવી કાનમાં બોલ્યા કે તું મને તો આટલું બોલે તો હું હમણાં પાણી લાવી આપું - બે ચારવાર શેઠે તેને બોલતાં શીખવાડ્યું.
રાજાના માણસોએ શેઠ ચોરના કાનમાં કંઈક કહે છે, વાત કરે છે. તે બધા સમાચાર રાજાને આપ્યા. રાજા વહેમાયો કે શેઠ આ ચોરની સાથે ભળેલા હશે તેવા વહેમથી શેઠને પકડવાના ઓર્ડર આપે છે.
જ્યારે આ બાજુ શેઠની સૂચના મુજબ પેલો મો રિહંતા બોલે છે. શેઠ પાણી લેવા ગયા, પાછળથી ચોર વેદનાના ભાવમાં ઓ બાપ રે! કરવા માંડ્યો પાછું યાદ આવ્યું કે શેઠ આવશે ને હું તેમનો બતાવેલ મંત્ર નહીં બોલું તો મને પાણી નહીં પાય. એટલે ચોર ભૂલી ગયેલ નમો અરિહંતા ના પદને યાદ કરવા લાગ્યો પણ યાદ ન આવ્યું.
છેવટે તાણ જેવું કંઈક હતું એટલું યાદ આવ્યું એટલે તે ચોર “આણું તાજું કંઈ ન જાણું, શેઠ વચન પરમાણં” આવું જપવા માંડયો. પાણીની લાલચે આ બાજુ શેઠ પાણી લઈને આવે તે પહેલાં ચોર મરી ગયો પણ છેલ્લે નવકારના પ્રથમ પદની શ્રદ્ધાથી વ્યંતરનિકામાં દેવ થયો.
આ બાજુ રાજાના માણસો શેઠને પકડવા તેનાં ઘરબાર જપ્ત કરવા આવ્યા. જ્યાં પેલા દેવે (વ્યંતરનિકાય) પોતાના ઉપકારી શેઠને બચાવવા તેમની મિલકત ઘર દુકાન પર દેવમાયાથી મોટું લશ્કર ગોઠવી દીધું. ઘમસાણ લડાઈ થઈ. રાજાનું લશ્કર હાર્યું, રાજા સ્વયં આવ્યો ત્યારે આકાશવાણી થઈ કે આ શેઠ તો મારા ઉપકારી છે. તમે બધા કેવા ક્રૂર-નિર્દય કે પાણી પાય તેને ગુનેગાર ઠરાવ્યો. બધાંએ માફી માંગી, રાજા પગે પડ્યો. છેવટે માથા પર આ શેઠની પ્રતિમા હોય તેવી મારી મૂર્તિ બનાવો અને મંદિર બંધાવો મારું, તો છોડું. રાજા-પ્રજાએ તે પ્રમાણે કર્યું એટલે શાંતિ થઈ.
તો અહીં ચોરની શ્રદ્ધાનું પ્રમાણ ખૂબ હતું તેથી બહુ ચિંતન આદિ નહીં છતાં તે પુણ્યની પ્રબળતાએ દુર્ગતિથી બચ્યો, દેવગતિ પામ્યો.
આ રીતે આપણે પરમેષ્ઠીઓ પ્રતિ ઉદાત્ત નિષ્કામ શ્રદ્ધા કેળવીએ તો જાપની પાત્રતાનો યોગ્ય વિકાસ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org