SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૨૭ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા જેમ યથાર્થ રીતે જીવનમાં અપનાવી છે તે સાથે અંતરની શ્રદ્ધા-ભક્તિ સાથે પંચપરમેષ્ઠીઓ પ્રતિ વિશિષ્ટ અહોભાવ કેળવવાની ખાસ જરૂર છે. શ્રી નવકારના શરણે વૃત્તિઓને સ્થિર રાખવા સતત જાગૃતિની જરૂર છે. ૫-૧૦-૮૩ શ્રી નવકારની આરાધના અંતરની શક્તિઓના સ્રોતને પરમાત્મ- શક્તિના ધોધ સાથે જોડી આપે છે. પણ તેમાં આપણી નિખાલસતા, ગંભીરતા, અહોભાવ અને સંપૂર્ણ શરણાગતિ આ ૪ બાબતો ખાસ જરૂરી છે. દુનિયાના રવાડે ચઢેલી આપણી વૃત્તિઓના મૂળમાં રહેલ અશુભ સંસ્કારોનું બળ તોડવાની શકિત શ્રી નવકાર વિના દુનિયાના કોઈ પણ પદાર્થમાં નથી જ ! એવો દઢ વિશ્વાસ આ બધાની પાછળ હોવો જરૂરી છે. તે વિના આપણામાં શ્રદ્ધા - ભકિતનો વિકાસ શકય નથી. અંતરની ક્ષુદ્રતા – અનધિકાર ચેષ્ટા, વધુ પડતી જિજ્ઞાસા, અને પોતાની હોશિયારીનું પ્રદર્શન - આ ૪ બાબતો આરાધનાના માર્ગે મોટામાં મોટા અવરોધો છે. આના લીધે શરણાગતિ ભાવ વિકસતો નથી. પરિણામે અહોભાવ, નિખાલસતા, ગંભીરતાનો વિકાસ પણ અટકયો રહે છે. અંતરમાં પંચપરમેષ્ઠી એટલે વિશ્વની ઊંચામાં ઊંચી શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ પણ અજોડ બેનમૂન આત્માની ઉચ્ચતમ અવસ્થાઓ છે. તેના પ્રતીકરૂપે પાંચ પરમેષ્ઠીઓને સમજવાની તક પૂર્વના મહાન પુણ્યના ઉદયે મળી છે તો માત્ર શ્રદ્ધા-ભકિતના મિશ્રણવાળા પૂર્ણ સમર્પણભાવ -કે જેમાં નિખાલસતા,ગંભીરતા અને અહોભાવનું મિશ્રણ ઘોળાયેલું હોય - ની કેળવણીથી અંતરને પરમેષ્ઠીઓ પ્રતિ આંતરિક બહુમાનના ભાવથી પ્લાવિત કરી દેવું જોઈએ. જેથી સંસારનો રાગ અગર બીજા શુદ્ધ આત્માઓ પ્રતિ ધૃણાનો ભાવ ઓગળી જાય. પરિણામે તાત્વિક વૈરાગ્ય અને જગતના શુદ્ર જીવો પર ભાવકરૂણાનો ભાવ આપોઆપ કેળવાઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy